પ્રાદેશિક સમાચાર

જુલાઇ 12, 2024 7:34 પી એમ(PM)

views 59

કેન્દ્ર સરકારે ધોલેરા-ભીમાનાથ વચ્ચે ૨૩.૩૩ કિલોમીટર નવી બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટ માટે ૪૬૬ કરોડ રૂપિયાની ફાળવણી કરી

કેન્દ્ર સરકારે ધોલેરા-ભીમાનાથ (લોજિસ્ટીક હબ) નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે 466 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. ધોલેરા ભીમાનાથ વચ્ચેની 23.33 કિલોમીટરની આ નવી બ્રોડગેજ રેલ્વે લાઇનના પરિણામે નવી દિલ્હી–મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ ફ્રેટ કોરિડોર સાથે ધોલેરાને કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. આ રેલ્વે પ્રોજેક્ટ પૂર્ણ...

જુલાઇ 12, 2024 3:26 પી એમ(PM)

views 33

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે બીલીમોરા સ્ટેશનનો રેલ લેવલ સ્લેબ પૂર્ણ થયો છે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે બીલીમોરા સ્ટેશનનો રેલ લેવલ સ્લેબ પૂર્ણ થયો છે. ગુજરાતના તમામ ૮ સ્ટેશનો પર પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સુપરસ્ટ્રકચરનું નિર્માણ અદ્યતન તબક્કે છે. બુલેટ ટ્રેન કોરિડોર 508 કિલોમીટરની લાઇનદોરી સાથે 12 સ્ટેશનોને આવરી લેશે. લાઇનદોરીની સાથે બુલેટ ટ્રેન સ્ટેશનો પર નિર્માણ ...

જુલાઇ 12, 2024 3:24 પી એમ(PM)

views 47

પશ્ચિમ રેલવે રાજકોટથી ભાવનગર વચ્ચે આવતીકાલ માટે એક સ્પેશિયલ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે રાજકોટથી ભાવનગર વચ્ચે આવતીકાલ માટે એક સ્પેશિયલ ટ્રેન દોડાવશે. ટ્રેન નંબર 09591 રાજકોટ-ભાવનગર સ્પેશિયલ ટ્રેન રાજકોટથી આવતીકાલે સવારે સાડા ચાર વાગ્યે ઉપડશે, જે સાડા દસ વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09592 ભાવનગર-રાજકોટ સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસથી આવતીકાલે સાંજે...

જુલાઇ 12, 2024 3:20 પી એમ(PM)

views 38

ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 26% વરસાદ થયો છે

ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 26% વરસાદ થયો છે. સૌથી વધુ 36% વરસાદ સૌરાષ્ટ્રમાં ત્યારબાદ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 16% વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના સો થી વધુ તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતના ઘણા વ...

જુલાઇ 12, 2024 9:59 એ એમ (AM)

views 52

આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત છે. ગત ચોવીસ કલાકમાં સુરતના કામરેજમાં, વલસાડ જિલ્લાના ઉમરગામમાં તથા આણંદના બોરસદ ખાતે સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ, અમદાવાદ, અમરેલી, સુરત, નવસારી, વડોદરામાં, અંદાજિત દોઢથી સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહેસાણા, પંચમહાલ, ગીર સોમનાથ અને છોટાઉદેપુર ખાતે સૌથ...

જુલાઇ 11, 2024 8:25 પી એમ(PM)

views 56

જમ્મુ અને કાશ્મીરમાં કઠુઆમાં, વરિષ્ઠ BSF અને પોલીસ અધિકારીઓ આજે એક ઉચ્ચ સ્તરીય આંતરરાજ્ય સુરક્ષા સમીક્ષા બેઠકમાં ભેગા થયા

જમ્મુ અને કાશ્મીરમાં કઠુઆમાં, વરિષ્ઠ BSF અને પોલીસ અધિકારીઓ આજે એક ઉચ્ચ સ્તરીય આંતરરાજ્ય સુરક્ષા સમીક્ષા બેઠકમાં ભેગા થયા હતા. આકાશવાણી જમ્મુના સંવાદદાતા અહેવાલ આપે છે કે આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિર્દેશક આર આર સ્વેન, પંજાબ પોલીસના મહાનિર્દેશક ગૌરવ યાદવ અને BSF, પશ્ચિમી કમાન્ડના વિશેષ ...

જુલાઇ 11, 2024 8:13 પી એમ(PM)

views 74

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે વિશ્વ વસ્તી દિવસ પ્રસંગે પરિવાર નિયોજન માટેનાં સુગમ મોડલ પહેલનું અનાવરણ કર્યું

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે વિશ્વ વસ્તી દિવસ પ્રસંગે પરિવાર નિયોજન માટેનાં સુગમ મોડલ પહેલનું અનાવરણ કર્યું હતું. સુગમ મોડલ માતા અને બાળકની સુખાકારી માટે ગર્ભધારણનાં સ્વસ્થ સમય અને અંતર માટે તૈયાર કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં વિવિધ રાજ્યોનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગો સાથેન...

જુલાઇ 11, 2024 8:10 પી એમ(PM)

views 45

સમગ્ર વિશ્વમાં વધતી જતી વસ્તીને જાગૃત કરવાના ઉદેશ્ય સાથે આજે 11 જુલાઈના વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે

સમગ્ર વિશ્વમાં વધતી જતી વસ્તીને જાગૃત કરવાના ઉદેશ્ય સાથે આજે 11 જુલાઈના વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં અનેક સ્થળોએ વિવિધ જાગૃતિ કાર્યક્રમો દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી. દાહોદમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા "વિકસિત ભારતની નવી પહેચાન - કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન" આ થીમ અંતર્ગત ...

જુલાઇ 11, 2024 8:08 પી એમ(PM)

views 53

આજે સવાર સુધીમાં રાજ્યમાં મોસમનાં કુલ સરેરાશ વરસાદનો 25 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે

આજે સવાર સુધીમાં રાજ્યમાં મોસમનાં કુલ સરેરાશ વરસાદનો 25 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદી પ્રમાણે મોસમના સરેરાશ વરસાદની ટકાવારીની રીતે સૌથી વધુ 35.44 ટકા વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં નોંધાયો છે. કચ્છ ઝોનમાં 34.87 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત ઝોનમાં 27.25 ટકા,...

જુલાઇ 11, 2024 8:07 પી એમ(PM)

views 49

રાજકોટ ખાતે સાતમ આઠમના તહેવાર દરમિયાન યોજાતા લોકમેળામાં આ વર્ષે ત્રી- સ્તરીય સુરક્ષા ઉભી કરવામાં આવશે

રાજકોટ ખાતે સાતમ આઠમના તહેવાર દરમિયાન યોજાતા લોકમેળામાં આ વર્ષે ત્રી- સ્તરીય સુરક્ષા ઉભી કરવામાં આવશે. મેળામાં સ્ટોલ અને રાઇડ્સમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે. આ વિશે કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, સીસીટીવી કેમેરા અને ડ્રોનની મદદથી મેળા પર નજર રાખવામાં આવશે.