જાન્યુઆરી 3, 2026 7:44 પી એમ(PM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધના પવિત્ર પિપ્રાહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાય પિથોરા સાંસ્કૃતિક સંકુલમાં ભગવાન બુદ્ધના પવિત્ર પિપ્રાહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. "પ્રકાશ અને કમળ : પ્રબુદ્ધ વ્યક્તિના અવશેષો" શીર્ષક હેઠળ આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા પ્રધાનમંત...

જાન્યુઆરી 3, 2026 7:43 પી એમ(PM)

views 122

ચૂંટણી પંચે તમામ નાગરિકોને ECINet એપ ડાઉનલોડ કરવા અને આ એપ પર ‘સૂચન સબમિટ કરો’ ટેબનો ઉપયોગ કરવા આમંત્રણ આપ્યું.

ચૂંટણી પંચે તમામ નાગરિકોને ECINet એપ ડાઉનલોડ કરવા અને આ એપ પર 'સૂચન સબમિટ કરો' ટેબનો ઉપયોગ કરીને તેને વધુ સારી બનાવવા માટે સૂચનો આપવા આમંત્રણ આપ્યું છે. નાગરિકો આ મહિનાની 10મી તારીખ સુધી તેમના સૂચનો મોકલી શકે છે. ECI Net એપ એ નાગરિકો માટે એકીકૃત એપ છે જે અગાઉની 40 અલગ ચૂંટણી સંબંધિત એપ્લિકેશનો જેમ ક...

જાન્યુઆરી 3, 2026 7:41 પી એમ(PM)

views 18

તેલંગણામાં પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી બટાલિયન કમાન્ડર સહિત કુલ 20 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું

પ્રતિબંધિત સીપીઆઈ માઓવાદીઓના પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી બટાલિયન કમાન્ડર સહિત કુલ 20 માઓવાદીઓએ હૈદરાબાદમાં તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. બટાલિયન કમાન્ડર બડસે સુક્કા ઉર્ફે દેવા અને તેલંગાણા સમિતિના સભ્ય કંકનલા રાજી રેડ્ડીએ અન્ય 18 અન્ય માઓવાદીઓ સાથે આત્મસમર્પણ કર્યું છે. દર...

જાન્યુઆરી 3, 2026 7:19 પી એમ(PM)

views 29

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોમાં અચાનક ઉછાળો આવતા સરકાર હરકતમાં- ૨૨ ડોક્ટરોની ટીમ તૈનાત.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી. તેમણે ટાઈફોઈડના દર્દીઓના ખબર-અંતર પૂછ્યાં. સાથે જ દર્દીઓને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવા શ્રી સંઘવીએ અધિકારીઓને સૂચના આપી. તેમણે કહ્યું દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે 22 નિષ્ણાંત તબીબની ટુકડી તહેનાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃ...

જાન્યુઆરી 3, 2026 7:18 પી એમ(PM)

views 20

પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જિલ્લાના આયોજનના અનુદાનમાંથી સવા ગણું આયોજન કરવા જિલ્લા વિકાસ અધિકારીઓ – DDOને સૂચના આપી.

પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણ મંત્રી ઋષિકેશ પટેલે જિલ્લાના આયોજનના અનુદાનમાંથી સવા ગણું એટલે કે, 125 ટકા આયોજન કરવા જિલ્લા વિકાસ અધિકારીઓ – DDOને સૂચના આપી છે. ગાંધીનગરમાં DDO પરિષદમાં તેમણે ગ્રામ્યસ્તરે ચાલી રહેલી વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું. બેઠકમાં મંત્...

જાન્યુઆરી 3, 2026 7:16 પી એમ(PM)

views 21

અમદાવાદના વરિષ્ઠ નાગરિકને ડિજિટલ અરેસ્ટ કરી છેતરપિંડી કરનારા 12 આરોપીની ધરપકડ.

અમદાવાદના એક વરિષ્ઠ નાગરિકને 20 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી છેતરપિંડી કરનારા 12 આરોપી પકડાયા છે. આરોપીઓએ પોલીસ, ED સહિતની સંસ્થાઓના અધિકારીઓની હોવાની ખોટી ઓળખ આપી સાત કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હોવાનું સાઇબર ક્રાઈમના ACP એચ.એસ.માંકડિયાએ જણાવ્યું.

જાન્યુઆરી 3, 2026 7:16 પી એમ(PM)

views 21

રાજ્યભરમાં પોષી પૂનમની ધાર્મિક આસ્થાભેર ઉજવણી.

રાજ્યભરમાં પોષ મહિનાની પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ ધાર્મિક સ્થળોને વિશેષ શણગાર કરાયો છે. બનાસકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં માતાજીના પ્રાગટ્ય મહોત્સવને વધાવવા વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. મંદિર પરિસરમાં વિશ્વ શાંતિ અને લોકકલ્યાણ અર્થે વિશેષ યજ્ઞ પણ કર...

જાન્યુઆરી 3, 2026 7:14 પી એમ(PM)

views 20

કર્ણાટકમાં રમાયેલી વિજય હઝારે ક્રિકેટ ટ્રૉફીમાં આંધ્ર સામે ગુજરાતનો વિજય.

ક્રિકેટની વિજય હઝારે ટ્રૉફી સ્પર્ધામાં આંધ્ર સામેની મૅચમાં ગુજરાતનો સાત રનથી વિજય થયો. કર્ણાટકના અલુરમાં KSCA ક્રિકેટ – 3 મેદાનમાં રમાયેલી મૅચમાં ગુજરાતે પહેલા બેટિંગ કરી નિર્ધારિત 50 ઑવરમાં નવ વિકેટ ગુમાવી 318 રન બનાવ્યા. જવાબમાં આંધ્રની ટીમ સાત વિકેટે 311 રન જ બનાવી શકી હતી. ગુજરાત તરફથી સૌથી વધુ ...

જાન્યુઆરી 3, 2026 5:24 પી એમ(PM)

views 21

તાપીમાં ટૅમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત.

તાપીમાં ટૅમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે, ઉચ્ચલ તાલુકાના મીરકોટ ગામની સીમમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બાઈક પર જતાં બે લોકોને અકસ્માત નડ્યો હતો. તેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાન્યુઆરી 3, 2026 5:23 પી એમ(PM)

views 20

પોષ મહિનાની પૂનમ નિમિત્તે આજે અંબાજી માતાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી..

પોષ મહિનાની પૂનમ નિમિત્તે આજે અંબાજી માતાના પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જુનાગઢમાં પણ ગિરનાર પર્વત પર સવારે પાંચ વાગ્યે મંદિરના શિખરે ધજારોહણ સાથે ઉજવણી શરૂ થઈ. ત્યારબાદ શ્રી સુક્તના પાઠ, અભિષેક અને હોમ હવનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જોડાયા હતા. ગિરનાર પર ઉડનખટોલાની સેવા શર...