એપ્રિલ 12, 2025 1:54 પી એમ(PM)

printer

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચતરુ જંગલ વિસ્તારમાં ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે.
ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળેથી મોટાં જથ્થામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. શુક્રવારે શરૂ થયેલી આ અથડામણ હજુ પણ ચાલુ છે. દરમિયાન, જમ્મુના પર્વતીય વિસ્તારોમાં આતંકવાદીઓની હિલચાલ પર નજર રાખવા માટે સુરક્ષા દળોએ ડોડા જિલ્લાના ભદરવાહમાં તકેદારી વધારી દીધી છે.