મે 6, 2025 9:43 એ એમ (AM)

printer

ગુજરાતમાં વાવાઝોડા અને કમોસમી વરસાદમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ- વ્યાપક નુકશાન

ગુજરાતના મોટાભાગના જીલ્લાઓમાં ગઇકાલે વાવાઝોડા અને વરસાદથી પાંચ લોકોના મૃત્યુ થયા છે.અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે રાજ્યમાં ભારે પવન અને કરા સાથે વરસેલા વરસાદે તારાજી સર્જી છે. જેમાં એક જ દિવસમાં પાંચ લોકોના મોત થયા છે. ભારે પવનને કારણે વડોદરામાં એક રિક્ષા ચાલક પર વીજતાર અને બીજા પર કાટમાળ પડતા બંનેના મોત નિપજ્યા છે. અરવલ્લીમાં વીજળી પડતા બે યુવકોના મોત નિપજ્યા છે. અમદાવાદના ધોળકા હાઈવે પર રિક્ષા પર હોર્ડિંગ પડતા ચાલકનું મોત નિપજ્યું છે.