પ્રાદેશિક સમાચાર

જુલાઇ 14, 2024 3:24 પી એમ(PM)

views 38

કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતીમાં જામનગરના મોટા ઇટાળા ખાતે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઇ ગયો

કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતીમાં જામનગરના મોટા ઇટાળા ખાતે 'એક પેડ માઁ કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઇ ગયો. આ પ્રસંગે મંત્રીશ્રીએ આ અભિયાનમાં સહભાગી થઈ, વધુ વૃક્ષો વાવવા લોકોને અપીલ કરી હતી. વૃક્ષોને નુકસાન કરનારા તત્વો સામે આગામી સમયમાં કડક કાર્યવાહી હાથ ધરાશે, તેમ પણ મંત્રીશ...

જુલાઇ 14, 2024 3:22 પી એમ(PM)

views 35

શૌર્ય ચક્રથી સન્માનિત તાપી જિલ્લાના સીઆરપીએફ જવાન મુકેશ ગામિતનો સન્માન સમારંભ યોજાયો હતો

શૌર્ય ચક્રથી સન્માનિત તાપી જિલ્લાના સીઆરપીએફ જવાન મુકેશ ગામિતનો સન્માન સમારંભ યોજાયો હતો.આદિજાતી મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં સોનગઢ ખાતે યોજાયેલા આ સન્માન સમારંભમાં મુકેશ ગામીતની વીરતાને બિરદાવવામાં આવી હતી. આદિવાસી વીર જવાન એવા મુકેશ ગામીતે બહાદુરીથી એક આતંકવાદીને ઠાર કરીને પોતાના સાથી જવાનોન...

જુલાઇ 14, 2024 3:19 પી એમ(PM)

views 39

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં બે બાળકોની શ્વસનનળી અને અન્નનળીમાં આવેલા અવરોધને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં બે બાળકોની શ્વસનનળી અને અન્નનળીમાં આવેલા અવરોધને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે. પ્રથમ કિસ્સામાં મધ્યપ્રદેશનાં પિન્ડાના ખેડૂત પરિવારના ૧૩ મહિનાના દીકરાની શ્વસનનળીમાં મગફળીનો દાણો અને સુરેન્દ્રનગરના એક કારીગરનો અઢી વર્ષનો દીકરો રાસબરીનું બીજ ખાઇ જતાં ...

જુલાઇ 14, 2024 3:17 પી એમ(PM)

views 44

ભારતીય રેલવે એ મુસાફરોની સુવિધા માટે, લાંબા અંતરની 46 વિવિધ મહત્વપૂર્ણ ટ્રેનોમાં સામાન્ય વર્ગના કોચની સંખ્યા વધારી છે

ભારતીય રેલવે એ મુસાફરોની સુવિધા માટે, લાંબા અંતરની 46 વિવિધ મહત્વપૂર્ણ ટ્રેનોમાં સામાન્ય વર્ગના કોચની સંખ્યા વધારી છે. આ ટ્રેનોમાં 92 નવા સામાન્ય વર્ગના કોચ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત 22 વધુ ટ્રેનોની ઓળખ કરીને તેમાં વધારાના સામાન્ય વર્ગના કોચ ઉમેરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નવા કોચ ઉમેરવાની વ...

જુલાઇ 14, 2024 3:15 પી એમ(PM)

views 41

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાળવિયાએ નવસારી જિલ્લામાં પાણી પુરવઠા, સિંચાઈ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરી હતી

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાળવિયાએ નવસારી જિલ્લામાં પાણી પુરવઠા, સિંચાઈ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરી હતી. શ્રી બાળવિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક મળી હતી. જેમાં તેમણે પીવાના પાણીની જરૂરિયાત માટેના વિવિધ સ્ત્રોતોની જાણકારી મેળવી, તેમજ ચોમાસાની ઋતુને ધ્યાને રાખતા ક્લોરિનેશનની કામ...

જુલાઇ 13, 2024 8:01 પી એમ(PM)

views 37

લોથલમાં નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના પ્રથમ તબક્કાનું કામ 55 ટકા પૂર્ણ થયું

લોથલમાં નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના પ્રથમ તબક્કાનું કામ 55 ટકા પૂર્ણ થયું છે અને જુલાઇ મહિનાના અંત સુધીમાં પ્રથમ તબક્કાની બાકી રહેલી કામગીરી માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. બાકીના વિવિધ તબક્કા માટે હાલ ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. સંયુક્ત સચિવની અધ્યક્ષતામાં નેશનલ મેર...

જુલાઇ 13, 2024 7:56 પી એમ(PM)

views 47

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઓક્ટોબર મહિનામાં વિદેશી વિમાની સેવા શરૂ કરવામાં આવશે

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઓક્ટોબર મહિનામાં વિદેશી વિમાની સેવા શરૂ કરવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાહેરાત રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે. જે મુજબ સંભવત: 15 મી ઓગસ્ટ થી મુસાફરો માટે, હાલ નિર્માણ આધીન ટર્મિનલ શરૂ થઈ જશે આ ટર્મિનલમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એમ બંને ફ્લાઈટના મુસાફ...

જુલાઇ 13, 2024 7:55 પી એમ(PM)

views 44

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે બે બાળકો સારવાર હેઠળ છે. તમામ શંકાસ્પદ છ કેસોના નમૂના તપાસ માટે પૂણેની એનઆઈવી લેબમાં મોકલાયા છે. દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને મહિસાગર જિલ્લામાંથી પણ ચાંદીપુરમના શંકા...

જુલાઇ 13, 2024 7:52 પી એમ(PM)

views 33

રાજયમાં આજે સવારના છ વાગ્યાથી લઇને સાંજના 6 વાગ્યા સુધીમાં 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો

રાજયમાં આજે સવારના છ વાગ્યાથી લઇને સાંજના 6 વાગ્યા સુધીમાં 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ગાંધીનગર ખાતેથી જાહેર થયેલા સત્તાવાર આંકડા અનુસાર સવારના છ વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધીમાં 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં નવસારીના ગણદેવીમાં સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે ...

જુલાઇ 13, 2024 3:34 પી એમ(PM)

views 31

લોકમાતા તાપી નદીનો આજે પ્રાગટ્ય દિવસ છે, આ દિનને વધાવવા માટે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ઉકાઇ ડેમ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો

લોકમાતા તાપી નદીનો આજે પ્રાગટ્ય દિવસ છે, આ દિનને વધાવવા માટે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ઉકાઇ ડેમ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. સૂર્યપુત્રી તાપી નદીની આજના દિને વિશેષ પૂજા કરી ઉજવણી કરાઇ હતી, આ વર્ષે દક્ષિણ ગુજરાતના જીવા દોરી સમાન ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાઇ જાય તેવી પ્રાર્થના કરાઇ હતી...