ચૂંટણીઓ

ઓક્ટોબર 11, 2025 2:34 પી એમ(PM)

views 61

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોની ચર્ચા માટે ભાજપ કોર કમિટીની બેઠક નવી દિલ્હીમાં..

બે તબક્કામાં યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોની ચર્ચા અને અંતિમ સ્વરૂપ આપવા માટે ભાજપ કોર કમિટી આજે નવી દિલ્હીમાં મળશે. રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) ના સાથી પક્ષો વચ્ચે બેઠક વહેંચણીને આજે અંતિમ સ્વરૂપ અપાય તેવી અપેક્ષા છે. આ બેઠકની અધ્યક્ષતા પાર્ટી પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા કરશે. ...

ઓક્ટોબર 10, 2025 1:46 પી એમ(PM)

views 78

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. આ સાથે 121 વિધાનસભા મતવિસ્તારો માટે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણી પંચે નામાંકન કેન્દ્રોની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ સૂચનાઓ જારી કરી છે. ઉમેદવાર સાથે પ્રસ્તાવક સહિત ફક્ત ત્રણ...

ઓક્ટોબર 8, 2025 7:46 પી એમ(PM)

views 156

બિહારમાં વિધાનસભા ચૂંટણી પ્રચારે વેગ પકડ્યો

બિહારમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, નીતિશ કુમાર NDA નેતાનો ચહેરો છે. તેમણે કહ્યું કે, બેઠક ફાળવણી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પટણામાં મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે જણ...

ઓક્ટોબર 8, 2025 1:38 પી એમ(PM)

views 64

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA ગઠબંધનના ઘટક પક્ષો અને મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મડાગાંઠ યથાવત્.

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA ગઠબંધનના ઘટક પક્ષો અને મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મડાગાંઠ હજુ પણ ચાલુ છે. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) દ્વારા બેઠકોના સન્માનજનક હિસ્સાની માંગણીને પગલે NDAમાં, દરેક ઘટક પક્ષ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તે અંગે અનિશ્ચિતતા રહેલી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ LJP (રામ...

સપ્ટેમ્બર 28, 2025 7:38 પી એમ(PM)

views 70

ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી અને વિવિધ રાજ્યોની વિધાનસભા પેટાચૂંટણીઓ માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂકની જાહેરાત કરી

ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી અને વિવિધ રાજ્યોના આઠ વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણીઓ માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂકની જાહેરાત કરી છે. આમાં જનરલ, પોલીસ અને ખર્ચ નિરીક્ષકોનો સમાવેશ થશે. મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ૩૨૦ IAS અને ૬૦ IPS અધિકારીઓ સહિત કુલ ૪૭૦ અધિકારીઓને ક...

સપ્ટેમ્બર 27, 2025 7:48 પી એમ(PM)

views 51

વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં રાજકીય ગતિવિધિઓએ વેગ પકડ્યો

વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં રાજકીય ગતિવિધિઓ વેગ પકડ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ બિહારની મુલાકાતના બીજા દિવસે પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. તેમણે સમસ્તીપુરમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે ચૂંટણી રણનીતિઓની ચર્ચા કરી. બેઠક દરમિયાન, શ્રી શાહે NDA ની અંદર એકતા પર ભાર ...

સપ્ટેમ્બર 19, 2025 8:02 પી એમ(PM)

views 46

ચૂંટણી પંચે ધારાધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ 474 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા

ચૂંટણી પંચે ધારાધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ 474 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા છે. આ પક્ષોએ 2019 થી એક પણ ચૂંટણી લડી નથી, જેના કારણે પંચે આ નિર્ણય લીધો છે. આ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં, પંચે ગયા મહિને 334 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા...

સપ્ટેમ્બર 17, 2025 7:56 પી એમ(PM)

views 48

ચૂંટણી પંચે EVM મતપત્રોની સ્પષ્ટતા અને વાંચનક્ષમતા વધારવા મતપત્રોની ડિઝાઈન અને પ્રિન્ટીંગની માર્ગદર્શિકામાં સંશોધન કર્યું

ચૂંટણી પંચે EVM મતપત્રોની સ્પષ્ટતા અને વાંચનક્ષમતા વધારવા મતપત્રોની ડિઝાઈન અને પ્રિન્ટીંગના વર્તમાન માર્ગદર્શિકામાં સંશોધન કર્યું છે. તે મુજબ, EVM મતપત્ર પર ઉમેદવારોની રંગબેરંગી તસવીર છપાશે અને તસવીર ચોખ્ખી દેખાય તે માટે ઉમેદવારના ચહેરાની તસવીર ત્રણ-ચતુર્થાંશ ભાગમાં હશે. તમામ ઉમેદવારો અને નોટાનનું ન...

સપ્ટેમ્બર 1, 2025 7:51 પી એમ(PM)

views 38

ચૂંટણી પંચે કહ્યું, બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી પર દાવા, વાંધા અને સુધારા હજુ પણ દાખલ કરી શકાય

ચૂંટણી પંચે કહ્યું છે કે, બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી પર દાવા, વાંધા અને સુધારા આજ પછી પણ દાખલ કરી શકાય છે, પરંતુ મતદાર યાદીને અંતિમ સ્વરૂપ આપ્યા પછી જ તેનો વિચાર કરવામાં આવશે. બિહાર મતદાર યાદીના ખાસ સઘન સુધારા પર સુનાવણી દરમિયાન પંચે સર્વોચ્ચ અદાલતમાં આ દલીલ કરી હતી. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધી...

ઓગસ્ટ 17, 2025 7:47 પી એમ(PM)

views 38

ચૂંટણી પંચે આજે કહ્યું – તેના માટે બધા પક્ષો સમાન છે અને તે રાજકીય પક્ષો વચ્ચે ભેદભાવ રાખતું નથી.

ચૂંટણી પંચે આજે કહ્યું કે તેના માટે બધા પક્ષો સમાન છે અને તે રાજકીય પક્ષો વચ્ચે ભેદભાવ રાખતું નથી. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે ચૂંટણી પંચ તેની બંધારણીય ફરજથી પાછળ નહીં હટે. કેટલાક લોકોએ બેવડા મતદાનનો આરોપ લગાવ્યો છે, પરંતુ જ્યારે પુરાવા માંગવામાં આ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.