જાન્યુઆરી 19, 2026 2:18 પી એમ(PM)
24
સુરતના ઉધનામાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા પાંચ લોકો દાઝી ગયાના અહેવાલ.
સુરતના ઉધનામાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા પાંચ લોકો દાઝી ગયાના અહેવાલ છે. આ તમામને હાલ સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા છે. અગ્નિશમન દળની ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હોવાનું ચીફ ફાયર ઑફિસર રોહિત ખલાસીએ જણાવ્યું.