જાન્યુઆરી 19, 2026 2:18 પી એમ(PM)

views 24

સુરતના ઉધનામાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા પાંચ લોકો દાઝી ગયાના અહેવાલ.

સુરતના ઉધનામાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા પાંચ લોકો દાઝી ગયાના અહેવાલ છે. આ તમામને હાલ સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા છે. અગ્નિશમન દળની ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હોવાનું ચીફ ફાયર ઑફિસર રોહિત ખલાસીએ જણાવ્યું.

જાન્યુઆરી 19, 2026 2:17 પી એમ(PM)

views 73

રાજ્યના અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં વધારો.

રાજ્યના અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. દરમિયાન અનેક જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ જ રીતે મહીસાગર જિલ્લામાં પણ ધુમ્મસ છવાતા વાહનચાલકોને વાહન ચલાવવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જાન્યુઆરી 19, 2026 2:16 પી એમ(PM)

views 50

ગુજરાત પોલીસ ભરતી બૉર્ડ દ્વારા 13 હજાર 591 જગ્યાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી.

ગુજરાત પોલીસ ભરતી બૉર્ડ દ્વારા 13 હજાર 591 જગ્યાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ જાહેરાત હેઠળ 10 લાખથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તમામ ઉમેદવારોને શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી માટે 21 જાન્યુઆરીથી રાજ્યના નિર્ધારિત 15 શહેર, જિલ્લા, SRP જૂથ, તાલિમ કેન્દ્રના પરીક્ષા કેન્દ્ર...

જાન્યુઆરી 19, 2026 2:11 પી એમ(PM)

views 32

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ પાર્ટી પર વિકસિત ભારત જી રામ જી કાયદા અંગે દેશના લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ પાર્ટી પર વિકસિત ભારત જી રામ જી કાયદા અંગે દેશના લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. નવી દિલ્હીમાં બોલતા, શ્રી ચૌહાણે જણાવ્યું કે મનરેગા કાયદા હેઠળ કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવેલા અધિકારો ફક્ત કાગળ સુધી જ સીમિત રહ્યા. તેમણે ક...

જાન્યુઆરી 19, 2026 2:00 પી એમ(PM)

views 24

સંયુક્ત આરબ અમીરાત-UAEના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આજથી ભારતની સત્તાવાર મુલાકાતે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર સંયુક્ત આરબ અમીરાત-UAE ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આજથી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.

જાન્યુઆરી 19, 2026 1:59 પી એમ(PM)

views 79

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓને શોધવા સેનાનું આક્રમક “ઓપરેશન ત્રાશી-I” ચલાવાયું.

જમ્મુ અને કાશ્મીરમાં, ગઈકાલે સાંજે કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આઠ સૈન્ય જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે , સેના ગઈકાલે બપોરથી આતંકવાદીઓને પકડવા અને મારવા માટે "ઓપરેશન ત્રાશી-I" ચલાવી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં રાતભર રોકાયા પછી સુરક્ષ...

જાન્યુઆરી 19, 2026 1:58 પી એમ(PM)

views 28

દેશમાં આવતી આપત્તિના સમયે ખડે પગે રહેનારા NDRFના સ્થાપના દિન પર પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ શુભકામનાઓ પાઠવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRFના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે જ્યારે કોઈ આપત્તિ ના સમયે NDRF ના કર્મચારીઓ જીવનનું રક્ષણ કરવા, રાહત પૂરી પાડવા અને સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં આશા પુનઃસ્થાપિત ...

જાન્યુઆરી 19, 2026 1:56 પી એમ(PM)

views 69

વિશ્વમાં રાજકીય પરિસ્થિતીની અનિશ્ચિતતાઓના પગલે ભારતીય શેરબજારમાં કડાકો, સોના-ચાંદીનો ભાવ અત્યાર સીધીની ટોચની સપાટી પર પહોંચ્યો

સોના અને ચાંદીના ભાવ આજે નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ગ્રીનલેન્ડ સાથે જોડાયેલા વિવાદને લઈને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક યુરોપિયન દેશો પર નવા ટેરિફની ધમકી આપ્યા બાદ રોકાણકારો સુરક્ષિત સંપતિમાં રોકાણ કરી રહ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ, MCX સોનું 1.68 ટકા વધીને એક લાખ 44 હજાર 905 રૂપિયા...

જાન્યુઆરી 19, 2026 2:27 પી એમ(PM)

views 48

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળનું રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિમંડળ આજે દાવોસ માટે રવાના થયું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળનું રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિમંડળ આજે દાવોસ માટે રવાના થયું. આ પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લૅન્ડના દાવોસમાં યોજાઈ રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફૉરમ – WEFમાં ભાગ લેશે. અમદાવાદ વિમાનમથક પર પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી સંઘવીએ કહ્યું, WEFમાં ગુજરાત વિકસિત ગુજર...

જાન્યુઆરી 19, 2026 9:44 એ એમ (AM)

views 34

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરતીરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરતીરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા અપાતા આ સન્માનનો સમારંભ અમદાવાદમાં સરદાર રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાયો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજના યુગમાં બધાની દોટ પૈસા અને સ્વાર્થ માટે છે. ત્યારે સામેના દરેક વ્યક્તિમાં, દરેક...