જાન્યુઆરી 22, 2026 7:56 પી એમ(PM)

views 52

જમ્મુ કશ્મીરના ડોડામાં ટ્રક ખીણમાં ખાબકતા દસ જવાનોના મોત

જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે એક માર્ગ અકસ્માતમાં દસ જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા અને અન્ય 11 ઘાયલ થયા. ભાદરવાહ-ચંબા આંતરરાજ્ય માર્ગ પર નવ હજાર ફૂટ ઊંચી ખન્ની ટોચ પર સેનાનો એક ટ્રક લપસી જતાં ઊંડી ખીણમાં ખાબક્યો. સેના અને પોલીસ દ્વારા તાત્કાલિક સંયુક્ત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. ચાર સૈનિકો ...

જાન્યુઆરી 22, 2026 7:55 પી એમ(PM)

views 49

100 કરોડ રૂપિયાની નકલી ITC છેતરપિંડી મામલે, પશ્ચિમ બંગાળ, મણિપુર અને ઝારખંડમાં EDના દરોડા

100 કરોડ રૂપિયાના નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ-ITC છેતરપિંડી મામલે, પ્રવર્તન નિદેશાલય-ED એ પશ્ચિમ બંગાળ, મણિપુર અને ઝારખંડમાં 10 સ્થળોએ શોધ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ-PMLA, 2002 હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. ED એ CGST અને સેન્ટ્રલ એક્સાઇઝ, ઇટાનગર કમિશનરેટ દ્વારા અરુણ...

જાન્યુઆરી 22, 2026 7:50 પી એમ(PM)

views 55

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વિત્ઝર્લૅન્ડના વિશ્વ આર્થિક મંચમાં વૈશ્વિક કંપનીઓના અગ્રણીઓ સાથે મુલાકાત કરી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વિત્ઝર્લૅન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચ – W.E.F.માં વિવિધ અગ્રણીઓ સાથે મુલાકાત કરી. આ અંગે સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે, જાપાનના સુમિતોમો સમુહના અધ્યક્ષ તાકાયુકી સુમિતા સાથેની મુલાકાતમાં ગુજરાતના ઝડપથી વિકસતા સ્વચ્છ ઉર્જા અને ઔદ્યોગિક માળખાકીય સુવિધામાં સુ...

જાન્યુઆરી 22, 2026 7:48 પી એમ(PM)

views 64

અમદાવાદના સાણંદમાં દેશનો પહેલો સંકલિત ખાનગી સેટેલાઈટ પ્લાન્ટ બનશે – વિજ્ઞાન અને ટૅક્નોલૉજી મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

અમદાવાદમાં સાણંદના ખોરજ ખાતે દેશનો પહેલો સંકલિત ખાનગી સૅટેલાઈટ પ્લાન્ટ તૈયાર કરાશે. વિજ્ઞાન અને ટૅક્નોલૉજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ અઝિસ્ટા સ્પેસની ઇલેક્ટ્રૉ-ઑપ્ટિકલ પૅલોડ ફેક્ટરીનું આજે ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું, ડૉક્ટર વિક્રમ સારાભાઈના વારસાને આગળ ધપાવતા ગુજરાત હવે અવકાશ ટેક્નોલૉજી...

જાન્યુઆરી 22, 2026 7:47 પી એમ(PM)

views 36

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અમદાવાદમાં GTUનો 15-મો પદવીદાન સમારોહ યોજાયો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને ટેક્નિકલ પ્રગતિ સાથે નૈતિકતા, ઈમાનદારી અને કરુણા જેવાં જીવનમૂલ્યો અપનાવવા પર ભાર મૂક્યો હતો. અમદાવાદમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTUના પંદરમા પદવીદાન સમારોહને સંબોધતા કુલાધિપતિ અને રાજ્યપાલશ્રીએ આ વાત કહી. તેમણે યુવાનોને પોતાની શક્તિઓનો દેશના ઉત્થાન માટે ...

જાન્યુઆરી 22, 2026 7:45 પી એમ(PM)

views 81

રાજ્યમાં આગામી 24 કલાક બાદ ઠંડી વધવાની આગાહી

રાજ્યમાં આગામી ચોવીસ કલાક બાદ ઠંડી વધવાની આગાહી છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, આજે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં કમોસમી વરસાદનું માવઠું પડવાની શક્યતા છે. દરમિયાન આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

જાન્યુઆરી 22, 2026 7:44 પી એમ(PM)

views 65

સોમનાથમાં યોજાયેલી રાષ્ટ્રીય હૅન્ડબૉલ સ્પર્ધામાં ગુજરાતની ટીમ સેમિ-ફાઈનલમાં પહોંચી.

સોમનાથમાં યોજાયેલી ઓગણસિત્તેર-મી શાળા રમતગમત રાષ્ટ્રીય હૅન્ડબૉલ સ્પર્ધામાં રાજ્યની 17 વર્ષથી ઓછી વયની ટીમ ભવ્ય પ્રદર્શન કર્યું. ગુજરાતની ટીમે ક્વાર્ટર ફાઈનલમાં રાજસ્થાનની ટીમને 21—10થી હરાવી સેમિ-ફાઈનલમાં પહોંચી છે. હવે ગુજરાતની ટીમ ઉત્તરપ્રદેશ સામે રમશે. અગાઉ ગુજરાતની ટીમે ઉત્તરાખંડની ટીમ સામે 36-2...

જાન્યુઆરી 22, 2026 5:17 પી એમ(PM)

views 56

77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવ રચિત વાવ–થરાદ જિલ્લામાં થશે.

77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવ રચિત વાવ–થરાદ જિલ્લામાં થશે. આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા કલેકટર જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા પરેડ અને કાર્યક્રમો...

જાન્યુઆરી 22, 2026 5:12 પી એમ(PM)

views 27

સુરેન્દ્રનગરના થાનગઢમાં તંત્ર દ્વારા 260 જેટલા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ

સુરેન્દ્રનગરના થાનગઢમાં તંત્ર દ્વારા 260 જેટલા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. હાલ 210 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી દબાણ હટાવવામાં આવી રહ્યું હોવાનું નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ જણાવ્યું.

જાન્યુઆરી 22, 2026 4:49 પી એમ(PM)

views 33

અરવલ્લીમાં વાતાવરણમાં પલટાની આગાહીને લઈ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિશેષ જાણકારી આપવામાં આવી

અરવલ્લીમાં વાતાવરણમાં પલટાની આગાહીને લઈ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિશેષ જાણકારી આપવામાં આવી છે. તે મુજબ, કમોસમી વરસાદથી થતા પાક નુકસાનથી બચવા ખેડૂતોને તકેદારી રાખવા જણાવાયું છે. આ અંગે ખેતીવાડી અધિકારી પી. બી. પરમારે વધુ માહિતી આપી.