જાન્યુઆરી 2, 2026 8:38 એ એમ (AM)

views 21

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ST નિગમના 4 હજાર 742 ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એસ.ટી. નિગમના ચાર હજાર 742 ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરશે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ સમારોહમાં ત્રણ હજાર 84 ડ્રાઈવર અને એક હજાર 658 હેલ્પરકક્ષાના ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરાશે.આ સમારોહ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય કક્ષાના મંત્રી પ્...

જાન્યુઆરી 1, 2026 7:39 પી એમ(PM)

views 23

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના રિવરફ્રન્ટ પર “ભારત એક ગાથા” વિષયવસ્તુ હેઠળ 14-મા આંતર-રાષ્ટ્રીય ફ્લાવર શૉનો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના રિવરફ્રન્ટ પર “ભારત એક ગાથા” વિષયવસ્તુ હેઠળ 14-મા આંતર-રાષ્ટ્રીય ફ્લાવર શૉનો પ્રારંભ કરાવ્યો.આજે એકસાથે બે નવા ગિનિસ બૂક ઑફ વર્લ્ડ રૅકોર્ડ સ્થાપિત કરીને ફ્લાવર શૉએ સતત ત્રીજા વર્ષે વિશ્વ વિક્રમ બનાવ્યો છે. ફ્લાવર મંડલા અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ...

જાન્યુઆરી 1, 2026 7:35 પી એમ(PM)

views 22

દેશની પહેલી બૂલેટ ટ્રૅન 15 ઑગસ્ટ 2027થી સુરતથી નવસારીના બિલિમોરા વચ્ચે દોડશે.

દેશની પહેલી બૂલેટ ટ્રૅન 15 ઑગસ્ટ 2027થી સુરતથી નવસારીના બિલિમોરા વચ્ચે દોડશે. દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રથમ તબક્કામાં બૂલેટ ટ્રૅન સુરતથી બિલિમોરા સુધી દોડશે અને ચાર તબક્કા બાદ છેવટે મુંબઈથી અમદાવાદ વચ્ચે ટ્રેન દોડશે.

જાન્યુઆરી 1, 2026 7:32 પી એમ(PM)

views 21

ભરૂચમાં ગેરકાયદે રીતે માટીનું વહન કરનારા 8 વાહન સહિત કુલ બે કરોડ 80 લાખ જેટલો સામાન કબજે કરાયો.

ભરૂચમાં ગેરકાયદે રીતે માટીનું વહન કરનારા 8 વાહન સહિત કુલ બે કરોડ 80 લાખ જેટલો સામાન કબજે કરાયો છે. ભરુચ પ્રાંત અધિકારી, વાગરા મામલતદાર અને ભૂસ્તર વિભાગની સયુંક્ત ટુકડીએ વાગરા તાલુકામાં અલાદર ગામ પાસે દરોડા પાડી આ સામાન કબજે કરી સ્થળ પર જ 10 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ કર્યો હતો.

જાન્યુઆરી 1, 2026 7:21 પી એમ(PM)

views 21

કૅબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 તારીખે રાજકોટના પ્રવાસે આવશે.

કૅબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 તારીખે રાજકોટના પ્રવાસે આવશે. શ્રી મોદી કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારની રાજકોટમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCમાં ઉપસ્થિત રહેશે. રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધતાં શ્રી વાઘાણીએ આ માહિતી આપી હતી.

જાન્યુઆરી 1, 2026 4:31 પી એમ(PM)

views 20

અમદાવાદ-બોરીવલી ઍક્સપ્રેસ ટ્રૅન આગામી 17 જાન્યુઆરી સુધી આંશિક રીતે રદ રહેશે.

અમદાવાદ-બોરીવલી ઍક્સપ્રેસ ટ્રૅન આગામી 17 જાન્યુઆરી સુધી આંશિક રીતે રદ રહેશે. કાંદિવલી-બોરીવલી વિભાગ પર છઠ્ઠી લાઈનના કામને પૂર્ણ કરવા માટે 18 જાન્યુઆરી સુધી બ્લૉક લેવાયો છે. તેના કારણે આ ટ્રૅન આંશિક રદ રહેશે. અમદાવાદથી ઉપડનારી અમદાવાદ-બોરીવલી ઍક્સપ્રેસ વસઈ રોડ પર આગામી 17 તારીખ સુધી શૉર્ટ ટર્મિનેટ રહ...

જાન્યુઆરી 1, 2026 4:32 પી એમ(PM)

views 19

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 14-મા આંતર-રાષ્ટ્રીય ફ્લાવર શૉનો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 14-મા આંતર-રાષ્ટ્રીય ફ્લાવર શૉનો પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે આગામી 22 જાન્યુઆરી સુધી યોજાનારા આ શૉમાં બનાવાયેલા વિવિધ ઝૉનની મુલાકાત લઈ વિવિધ આકર્ષણ નીહાળ્યા. તેમણે “સ્ત્રી સશક્તિકરણ”ની વિષયવસ્તુ પર તૈયાર કરાયેલા સ્કલ્પચર એટલે કે, શિલ્...

જાન્યુઆરી 1, 2026 4:33 પી એમ(PM)

views 17

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણામાં અંદાજે 800 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણામાં અંદાજે 800 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મહેસાણાને મહાનગરપાલિકા તરીકે એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જિલ્લાના નગરગૃહ ખાતે મુખ્યમંત્રી આ વિકાસકાર્યોની ભેટ આપશે.

જાન્યુઆરી 1, 2026 4:34 પી એમ(PM)

views 20

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિરમગામ વિધાનસભા વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગના અંદાજે 497 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ જિલ્લાના માંડલ ખાતેથી વિરમગામ વિધાનસભા વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગના અંદાજે 497 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું, દરેક ક્ષેત્રમાં ગુજરાત આજે ગ્રૉથ ઍન્જિન બન્યું છે. નવા વર્ષના પહેલા જ દિવસે આ વિકાસકાર્યોથી વિરમગામ માટે...

જાન્યુઆરી 1, 2026 4:42 પી એમ(PM)

views 15

રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના આપઘાતના વધતા કિસ્સાને લઈ વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી માનસિક સ્વાસ્થ્ય નીતિ લાગુ કરવાની જાહેરાત કરી.

રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના આપઘાતના વધતા કિસ્સાને લઈ વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી માનસિક સ્વાસ્થ્ય નીતિ લાગુ કરવાની જાહેરાત કરી છે. ત્યારે છોટાઉદેપુરની શાળા અને મહાવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ગંભીર પગલાં ન લે તેવા પ્રયાસ હાથ ધરાયા છે.આ અંગે બોડેલીમાં આવેલી ટી. સી. કાપડિયા મહાવ...