જુલાઇ 13, 2024 3:36 પી એમ(PM)

views 48

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઓક્ટોબર મહિનામાં વિદેશી વીમાની સેવા શરૂ કરવામાં આવશે

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઓક્ટોબર મહિનામાં વિદેશી વીમાની સેવા શરૂ કરવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાહેરાત રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે. જે મુજબ સંભવત: 15 મી ઓગસ્ટ થી મુસાફરો માટે, હાલ નિર્માણ આધીન ટર્મિનલ શરૂ થઈ જશે આ ટર્મિનલમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એમ બંને ફ્લાઈટના મુસાફ...

જુલાઇ 13, 2024 3:27 પી એમ(PM)

views 55

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ બેંક ખાતાને આધારકાર્ડ નંબર સાથે લિંક કરાવવું ફરજીયાત છે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ બેંક ખાતાને આધારકાર્ડ નંબર સાથે લિંક કરાવવું ફરજીયાત છે. ગુજરાતના જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ૧૮માં હપ્તાનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થીઓએ આગામી ૩૦ જુલાઈ સુધીમાં બેંક ખાતા સાથે આધારકાર્ડ લીંક કરાવવું ફરજીયાત છે. જે ખેડૂત લાભા...

જુલાઇ 13, 2024 3:19 પી એમ(PM)

views 43

આજે સવારથી નવસારીના ગણદેવીમાં સૌથી વધુ પોણા છ ઇંચ વરસાદ નોંધાયો

રાજ્યમાં ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી નવસારીના ગણદેવીમાં સૌથી વધુ પોણા છ ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં 43 મીમી, જલાલપોરમાં 24, ચીખલીમાં 65, વાંસદામાં 50 અને ખેરગામમાં 78 મીમી વરસાદ નોંધાયો હતો. આજે સવારથી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 48 તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ ન...

જુલાઇ 13, 2024 3:02 પી એમ(PM)

views 76

વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં આજે જાસ્મીન પાઓલિનીનો સામનો બાર્બોરા ક્રાઇઝિકોવા સામે થશે

વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં આજે જાસ્મીન પાઓલિનીનો સામનો બાર્બોરા ક્રાઇઝિકોવા સામે થશે. મેચ લંડનમાં રમાશે, ભારતીય સમય મુજબ સાંજે સાડા છ વાગ્યે શરૂ થશે. ચેક રિપબ્લિકની ક્રાઇઝિકોવાએ કઝાકિસ્તાનની એલેના રાયબાકીનાને સેમિફાઇનલમાં પરાજય આપ્યો હતો. આ સાથે જ ઈટાલીની પાઓલિનીએ ક્રોએશિ...

જુલાઇ 13, 2024 3:09 પી એમ(PM)

views 71

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચોથી T-20 ક્રિકેટ મેચ આજે હરારેમાં રમાશે

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચોથી T-20 ક્રિકેટ મેચ આજે હરારેમાં રમાશે. પાંચ મેચની શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. શુભમન ગીલના નેતૃત્વમાં પ્રથમ મેચમાં ભારતને ઝિમ્બાબ્વે સામે 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ભારતે બે મેચ જીતીને શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી હતી. બીજી મેચમાં ભારતે યજમાન ટીમને ...

જુલાઇ 13, 2024 2:58 પી એમ(PM)

views 38

કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલું એક પ્રાચીન મંદિર જીર્ણોદ્ધાર સાથે 34 વર્ષના લાંબા સમય પછી “હરેઈ અષ્ટમી” ના શુભ અવસર પર આવતીકાલે ભક્તો માટે ખોલવામાં આવશે

કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલું એક પ્રાચીન મંદિર જીર્ણોદ્ધાર સાથે 34 વર્ષના લાંબા સમય પછી "હરેઈ અષ્ટમી" ના શુભ અવસર પર આવતીકાલે ભક્તો માટે ખોલવામાં આવશે. વર્ષ 1990માં કાશ્મીર ખીણમાં વિકટ પરિસ્થિતિને કારણે તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. આ મંદિર ત્યાનાં સ્થાનિક મુસ્લિમોનાં સક્રિય સહયોગથી આવતીકાલ...

જુલાઇ 13, 2024 2:57 પી એમ(PM)

views 36

આઇઆઇટી દિલ્હી અને પ્રસાર ભારતી આજે દિલ્હીમાં થ્યાગરાજ સ્ટેડિયમ ખાતે બે દિવસની રોબોટ સ્પર્ધા ‘ડીડી-રોબોકોન ઇન્ડિયા 2024’નું આયોજન કરશે

આઇઆઇટી દિલ્હી અને પ્રસાર ભારતી આજે દિલ્હીમાં થ્યાગરાજ સ્ટેડિયમ ખાતે બે દિવસની રોબોટ સ્પર્ધા ‘ડીડી-રોબોકોન ઇન્ડિયા 2024’નું આયોજન કરશે. કાર્યક્રમમાં દેશની 45થી વધુ કોલેજો, સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 750થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. સ્પર્ધા દરમિયાન, રોબોટ્સ નિર્ધારિત સમયની અંદર જટિલ કાર્ય કરવા એકબીજાની...

જુલાઇ 13, 2024 2:54 પી એમ(PM)

views 96

હવામાન વિભાગે આજે અને આવતી કાલે આસામ, મેઘાલય, ઓડિશા, ઉપ હિમાલય, પશ્ચિ બંગાળ, સિક્કીમ, બિહાર અને ઉત્તરખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે અને આવતી કાલે આસામ, મેઘાલય, ઓડિશા, ઉપ હિમાલય, પશ્ચિ બંગાળ, સિક્કીમ, બિહાર અને ઉત્તરખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. ચાર દિવસ માટે દક્ષિણ-પશ્ચિમ દ્વિપકલ્પ અને ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. મંગળવાર સુધી કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્રનાં ઘાટ, કેરળ, તટીય ...

જુલાઇ 13, 2024 2:50 પી એમ(PM)

views 30

અત્યાર સુધી 2 લાખ 80 હજારથી વધુ ભાવિકોએ કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફાનાં દર્શન કર્યા છે

અત્યાર સુધી 2 લાખ 80 હજારથી વધુ ભાવિકોએ કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફાનાં દર્શન કર્યા છે. આજે સવારે અંદાજિત 4 હજાર 700 જેટલા શ્રદ્ધાળુઓ જમ્મુના ભગવતીનાગર યાત્રી નિવાસ કેમ્પથી કાશ્મીર જવા રવાના થયા હતા. આજે વહેલી સવારે ત્રણ વાગે ભક્તોએ બેઝ કેમ્પ છોડ્યો હતો. અંદાજીત સાડા ત્રણ હજાર જેટલા પુરુષો, એક હજાર...

જુલાઇ 13, 2024 2:39 પી એમ(PM)

views 37

નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં છ લાખ 45 હજાર કરોડ રૂપિયાનાં પ્રત્યક્ષ વેરાની વસુલાત

આવક વેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 11 જુલાઇ સુધીમાં પ્રત્યક્ષ કરવેરા પેટે છ લાખ 45 હજાર કરોડ રૂપિયાની વસુલાત કરી છે અને 70 હજાર 902 કરોડ રૂપિયાનાં રિફન્ડ જારી કર્યા છે. રિફન્ડમાં ગયા વર્ષનાં સમાન સમયગાળાની સરખામણીમાં 64.5 ટકા વધારો થયો છે. આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા ડેટા પ્રમાણે કુલ વ...