જુલાઇ 13, 2024 8:21 પી એમ(PM)

views 32

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકમાં “વાઇબ્રન્ટ વિલેજ્સ પ્રોગ્રામ”ના અમલીકરણની સમીક્ષા કરી હતી

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકમાં "વાઇબ્રન્ટ વિલેજ્સ પ્રોગ્રામ"ના અમલીકરણની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સરહદી ગામોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. શ્ર...

જુલાઇ 13, 2024 8:19 પી એમ(PM)

views 31

મુંબઇમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દોહરાવ્યું કે, ત્રીજી ટર્મમાં એનડીએ સરકાર ત્રણ ગણી ગતિથી કામ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં 29 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે આ પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે NDA સરકારનું મોડલ સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને વંચિત વર્ગના સશક્તિકરણને પ્રાથમિકતા આપે છે. તેમણે થાણે બોરીવલી ટનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો, જ...

જુલાઇ 13, 2024 8:17 પી એમ(PM)

views 40

સાત રાજ્યોની 13 વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા,,, ટીએમસી અને કોંગ્રેસના ફાળે ચાર-ચાર બેઠકો તો ભાજપને મળી બે બેઠકો

7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર બુધવારે યોજાયેલી પેટાચૂંટણીમાં તમામ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે ચાર-ચાર બેઠકો જીતી છે, ભાજપને બે અને આમ આદમી પાર્ટી અને ડીએમકેને એક-એક બેઠક મળી છે. બિહારમાં એક સીટ અપક્ષ ઉમેદવાર શંકરસિંહના ફાળે ગઈ છે. તેમણે JD(U)ના ઉમેદવાર કલાધર પ્રસા...

જુલાઇ 13, 2024 8:15 પી એમ(PM)

views 33

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે ગુજરાતમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે બે બાળકો સારવાર હેઠળ છે. તમામ શંકાસ્પદ છ કેસોના નમૂના તપાસ માટે પૂણેની એનઆઈવી લેબમાં મોકલાયા છે. દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને મહિસાગર જિલ્લામાંથી પણ ચાંદીપુ...

જુલાઇ 13, 2024 8:13 પી એમ(PM)

views 94

ભારત- ઝિમ્બાબ્વે વચ્ચેની ચોથી T20 મેચમાં ભારતનો દસ વિકેટે વિજય

પુરૂષોની ક્રિકેટમાં, ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની શ્રેણીની ચોથી T20 મેચમાં ભારતે વિના વિકેટે જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતાં ઝિમ્બાબ્વેએ રઝાના 46 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 152 રન બનાવ્યા હતા, જ્યારે ભારત તરફથી ખલીલ અહેમદે 2 વિકેટ લીધી હતી. બીજી બેટિંગ કરતાં ભારતે 153 રનનું ...

જુલાઇ 13, 2024 8:01 પી એમ(PM)

views 45

લોથલમાં નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના પ્રથમ તબક્કાનું કામ 55 ટકા પૂર્ણ થયું

લોથલમાં નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના પ્રથમ તબક્કાનું કામ 55 ટકા પૂર્ણ થયું છે અને જુલાઇ મહિનાના અંત સુધીમાં પ્રથમ તબક્કાની બાકી રહેલી કામગીરી માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. બાકીના વિવિધ તબક્કા માટે હાલ ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. સંયુક્ત સચિવની અધ્યક્ષતામાં નેશનલ મેર...

જુલાઇ 13, 2024 7:56 પી એમ(PM)

views 52

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઓક્ટોબર મહિનામાં વિદેશી વિમાની સેવા શરૂ કરવામાં આવશે

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઓક્ટોબર મહિનામાં વિદેશી વિમાની સેવા શરૂ કરવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાહેરાત રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે. જે મુજબ સંભવત: 15 મી ઓગસ્ટ થી મુસાફરો માટે, હાલ નિર્માણ આધીન ટર્મિનલ શરૂ થઈ જશે આ ટર્મિનલમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એમ બંને ફ્લાઈટના મુસાફ...

જુલાઇ 13, 2024 7:55 પી એમ(PM)

views 50

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે બે બાળકો સારવાર હેઠળ છે. તમામ શંકાસ્પદ છ કેસોના નમૂના તપાસ માટે પૂણેની એનઆઈવી લેબમાં મોકલાયા છે. દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને મહિસાગર જિલ્લામાંથી પણ ચાંદીપુરમના શંકા...

જુલાઇ 13, 2024 7:52 પી એમ(PM)

views 37

રાજયમાં આજે સવારના છ વાગ્યાથી લઇને સાંજના 6 વાગ્યા સુધીમાં 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો

રાજયમાં આજે સવારના છ વાગ્યાથી લઇને સાંજના 6 વાગ્યા સુધીમાં 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ગાંધીનગર ખાતેથી જાહેર થયેલા સત્તાવાર આંકડા અનુસાર સવારના છ વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધીમાં 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં નવસારીના ગણદેવીમાં સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે ...

જુલાઇ 13, 2024 3:34 પી એમ(PM)

views 33

લોકમાતા તાપી નદીનો આજે પ્રાગટ્ય દિવસ છે, આ દિનને વધાવવા માટે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ઉકાઇ ડેમ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો

લોકમાતા તાપી નદીનો આજે પ્રાગટ્ય દિવસ છે, આ દિનને વધાવવા માટે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ઉકાઇ ડેમ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. સૂર્યપુત્રી તાપી નદીની આજના દિને વિશેષ પૂજા કરી ઉજવણી કરાઇ હતી, આ વર્ષે દક્ષિણ ગુજરાતના જીવા દોરી સમાન ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાઇ જાય તેવી પ્રાર્થના કરાઇ હતી...