ફેબ્રુવારી 6, 2025 7:45 પી એમ(PM)

views 38

તાપી જિલ્લાના સોનગઢ પ્રાથમિક શાળાના બાળકો એ રત્નજ્યોત નામની વનસ્પતિ ના બી ખાતા 25 બાળકોની તબિયત લથડી છે

તાપી જિલ્લાના સોનગઢ પ્રાથમિક શાળાના બાળકો એ રત્નજ્યોત નામની વનસ્પતિ ના બી ખાતા 25 બાળકોની તબિયત લથડી છે. અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આ તમામ બાળકોને વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બાળકોએ રત્નજ્યોત નામના ફળ ખાઈ લેતા ફૂડ પોઈઝનિંગ થયું હોવાની આશંકા વ્યક્ત ...

ફેબ્રુવારી 6, 2025 7:44 પી એમ(PM)

views 38

આગામી ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લામાં સ્પોર્ટસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે

આગામી ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લામાં સ્પોર્ટસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટસ મીટ માટે આગામી 15મી ફેબ્રુઆરી સુધી નોંધાવી શકાશે. જિલ્લાના લોકોને સ્પોર્ટસ મીટમાં જોડાવા જિલ્લા કલેક્ટર પ્રશિસ્ત પારિકે અપીલ કરી.

ફેબ્રુવારી 6, 2025 7:43 પી એમ(PM)

views 14

મહિલા અને બાળ કલ્યાણમંત્રી ભાનુબેન બાબરિયાએ લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ જેવી અદ્યતન ટેક્નોલોજીના માધ્યમથી રાજ્યમાં 607 જેટલા આંગણવાડી કેન્દ્રો અને નંદઘર બનાવવાની જાહેરાત કરી

મહિલા અને બાળ કલ્યાણમંત્રી ભાનુબેન બાબરિયાએ લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ જેવી અદ્યતન ટેક્નોલોજીના માધ્યમથી રાજ્યમાં 607 જેટલા આંગણવાડી કેન્દ્રો અને નંદઘર બનાવવાની જાહેરાત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અદ્યતન ટેક્નોલોજીથી ભૂકંપ, ભેજ, આગ જેવી વિવિધ પરિસ્થિતિનો સામનો કરી શકે તેવા નંદઘરો માત્ર 60 દિવસ...

ફેબ્રુવારી 6, 2025 7:40 પી એમ(PM)

views 23

ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 37 ટકાનો વધારો થયો છે

ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 37 ટકાનો વધારો થયો છે. સિંહને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની અંદાજિત સંખ્યા 2019માં 1 લાખ 55 હજાર 659 થી વધીને 2024માં 2 લાખ 13 હજાર 391 થઈ છે. કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે આજે રાજ્યસભામાં સાંસદ ...

ફેબ્રુવારી 6, 2025 7:38 પી એમ(PM)

views 41

સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૭મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો

સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૭મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ વિવિધ વિદ્યાશાખાના ૧૬ હજાર ૨૧૮ વિદ્યાર્થીઓને પદવી તથા ૧૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા. આ પ્...

ફેબ્રુવારી 6, 2025 7:36 પી એમ(PM)

views 47

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રયાગરાજમાં યોજાઇ રહેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે આવતીકાલે જશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રયાગરાજમાં યોજાઇ રહેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે આવતીકાલે જશે. શ્રી પટેલ આવતીકાલે બપોરે સાડા બાર વાગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સાડા નવ વાગે પ્રયાગરાજમાં બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન કરશે. તેઓ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઉ...

ફેબ્રુવારી 6, 2025 7:34 પી એમ(PM)

views 42

અમેરિકાથી પરત આવેલા રાજ્યના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ વિમાની મથકેથી પોલીસની સુરક્ષા સાથે ઘરે પહોંચાડવામાં આવ્યા છે

અમેરિકાથી પરત આવેલા રાજ્યના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ વિમાની મથકેથી પોલીસની સુરક્ષા સાથે ઘરે પહોંચાડવામાં આવ્યા છે. ૩૩ નાગરિકોના રહેણાકની વિગતોના આધારે, સંબંધિત જિલ્લાની પોલીસ દ્વારા એક નોડલ અધિકારીની નિમણુક કરી, તમામ નાગરિકોને સરકારી વાહન દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા નાગરિકોની ...

ફેબ્રુવારી 6, 2025 3:23 પી એમ(PM)

views 57

ગીર સોમનાથ જિલ્લામાં ખનીજના ગેરકાયદેસર ખનન સામે ગઈ કાલે કાર્યવાહી કરવામાં આવી હતી

ગીર સોમનાથ જિલ્લામાં ખનીજના ગેરકાયદેસર ખનન સામે ગઈ કાલે કાર્યવાહી કરવામાં આવી હતી. ખાણ અને ખનીજ કચેરી, ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા કુલ છ ચકરડી મશીન, બે જનરેટર મશીન અને એક ટ્રેકટર સહિત અંદાજિત 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ગીર ગઢડાના રાતડ ખાતેથી લાઇમ સ્ટોન ખનીજના ગેરકાયદેસર ...

ફેબ્રુવારી 6, 2025 3:21 પી એમ(PM)

views 39

મહીસાગરના ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગામમાં કૂતરાએ બચકાં ભરતા 8 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે

મહીસાગરના ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગામમાં કૂતરાએ બચકાં ભરતા 8 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે અને 5 લોકોને ઇજા થઈ છે. ઉલ્લેખનીય છે કે, સરકારી હોસ્પિટલમાં હડકવાની રસીના અભાવે, આ મોત થયું હોવાનું માલૂમ પડ્યું છે. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, સિમલનાળા ઝેર અને વાવકુવા ગામે કૂતરું કરડવાના...

ફેબ્રુવારી 6, 2025 3:19 પી એમ(PM)

views 24

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર અને ખાનપુરમા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર અને ખાનપુરમા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જેમાં ખાનપુરમાં 37 જેટલી વીજ ચોરી પકડાઈ છે. લુણાવાડા તાલુકામાં ૧૧૨ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા, જેમાંથી ૧૯મા વીજ ચોરી પકડાઇ. તેમજ સંતરામપુર તાલુકામાં ૧૯૮ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા,...