ડિસેમ્બર 25, 2025 7:48 પી એમ(PM)

views 30

ફેબ્રુઆરીમાં યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણીમાં આવામી લીગ ભાગ નહીં લઈ શકે તેવી બાંગ્લાદેશની વચગાળાની સરકારની સ્પષ્ટતા

બાંગ્લાદેશની વચગાળાની સરકારે સ્પષ્ટતા કરી કે, આગામી 12 ફેબ્રુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણીમાં આવામી લીગ ભાગ નહીં લઈ શકે. મુખ્ય સલાહકારના પ્રેસ સચિવ શફિકૂલ આલમે જણાવ્યું, આવામી લીગ અંગે સરકારની સ્થિતિ સ્પષ્ટ છે. તેમણે કહ્યું, પક્ષની રાજકીય પ્રવૃત્તિઓ પર હજી પણ પ્રતિબંધ છે અને એક રાજકીય પક્ષ તરીકે તે...

ડિસેમ્બર 25, 2025 7:43 પી એમ(PM)

views 25

સુશાસન દિવસ નિમિતે ગાંધીનગરમાં સંકલિત નવીનીકરણીય ઉર્જા નીતિ–2025 સહિતની અનેક નાગરિકલક્ષી પહેલોનો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન અનેક પહેલનું અનાવરણ અને વિકાસ કામોના લોકાર્પણ કરાયા. જેમાં રાજ્ય સરકાર દ્વારા સંકલિત નવીનીકરણીય ઉર્જા નીતિ–2025ન...

ડિસેમ્બર 25, 2025 7:41 પી એમ(PM)

views 21

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2025નો પ્રારંભ કરાવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2025નો શુભારંભ કરાવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ ફેસ્ટિવલ અંતર્ગત આ કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી યોજાશે. આ કાંકરિયા કાર્નિવલમાં આવતીકાલે જાણીતા કલાકાર ઈરફાન દિવાન અને પાયલ વખારિયાનો લાઈવ મ્યુઝીકલ કોન્સર્ટ, સંકેત ખાંડેકરનું લાઈવ બેન્ડ...

ડિસેમ્બર 25, 2025 7:40 પી એમ(PM)

views 35

સુરેન્દ્રનગર જમીન ગેરરીતિ મામલે ACBએ જિલ્લા કલેક્ટર સહિત 4 અધિકારી સામે ગુનો નોંધ્યો

સુરેન્દ્રનગર જમીન ગેરરીતિ મામલે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો-ACB જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત 4 અધિકારી સામે ગુનો નોંધ્યો છે. બે દિવસ અગાઉ પ્રવર્તન નિદેશાલય-EDએ જિલ્લા કલેકટર અને નાયબ મામલતદારના નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતા. ત્યારે EDના અધિકારીની ફરિયાદ આધારે ACBમાં ગુનો દાખલ કરાયો હોવાનું ACBના...

ડિસેમ્બર 25, 2025 7:39 પી એમ(PM)

views 16

કસ્ટમ વિભાગે સુરતમાંથી એક કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડ્યો

સુરતમાં કસ્ટમ વિભાગે એક મહિલા પાસેથી એક કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડ્યો છે. સુરત કસ્ટમ વિભાગ અને એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓ એલર્ટ પર હતા. તે દરમિયાન બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં એક મહિલા મુસાફરની વર્તણૂક શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી. મહિલાના સામાનની સઘન તપાસ કરતા તેમાંથી 7...

ડિસેમ્બર 25, 2025 7:38 પી એમ(PM)

views 18

રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં આજે નાતાલની ઉજવણી

રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં આજે નાતાલના તહેવારની વિવિધ રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ડાંગ જિલ્લાના આહવામાં ચર્ચ ઓફ બ્રધરન ખાતે ખ્રિસ્તી ભાઈઓ બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં પ્રભુ ઈસુની સ્તુતિ ગાન, બાઇબલ વાંચન અને પ્રાર્થના સભાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડના વાઈટ ચર્ચમાં ઈસુના જન્મદિનની ...

ડિસેમ્બર 25, 2025 7:36 પી એમ(PM)

views 18

અખિલ ભારતીય કંઠ્ય સંગીતની રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાવનગરની અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થીઓનું શાનદાર પ્રદર્શન

અખિલ ભારતીય કંઠ્ય સંગીતની રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. અંધજન કલ્યાણ મંડળ રાજકોટ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં શાસ્ત્રીય સંગીત, વિભાગ – બ અને ફિલ્મી સંગીત, વિભાગ–બ માં રાજેશ ઠાકોરે પ્રથમ ક્રમાંક મેળવ્યો. જ્યારે સુગમ સંગીત, ...

ડિસેમ્બર 25, 2025 4:21 પી એમ(PM)

views 16

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ જુનાગઢમાં પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવ 2025ના ફિનાલેને શક્તિના પ્રતિકરૂપ ગદા દર્શાવી આજે ખૂલ્લો મુક્યો.

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ જુનાગઢમાં પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવ 2025ના ફિનાલેને શક્તિના પ્રતિકરૂપ ગદા દર્શાવી આજે ખૂલ્લો મુક્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, સંસ્કૃતિ અને જીવનશૈલીનો ભાગ એવી રમતોથી ખેલાડીઓનું વ્યક્તિત્વ ખીલે છે. દરેક નાગરિક સ્વસ્થ રહે તે માટે રમત રમવી જરૂરી હોવ...

ડિસેમ્બર 25, 2025 4:06 પી એમ(PM)

views 14

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે સુરતના ચોક બજાર વિસ્તારમાં લાલ કિલ્લા ખાતે એક આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું.

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે સુરતના ચોક બજાર વિસ્તારમાં લાલ કિલ્લા ખાતે એક આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું. ગેલેરીમાં વાજપેયીના જીવન પ્રવાસને દર્શાવતી છબીઓ પ્રદર્શિત કરાઇ છે. કાર્યક્રમ બાદ શ્રી પાટીલે પ્રતિક્રિયા આપી.

ડિસેમ્બર 25, 2025 3:49 પી એમ(PM)

views 11

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલબિહારી વાજપેયીની આજે 101મી જન્મજયંતી નિમિત્તે વિવિધ જિલ્લાઓમાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલબિહારી વાજપેયીની આજે 101મી જન્મજયંતી નિમિત્તે વિવિધ જિલ્લાઓમાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. ભરૂચમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સુશાસન દિવસ નિમિત્તે સ્વર્ગીય અટલબિહારી વાજપેયીની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. પાટણમાં અટલ સ્મૃતિ દિવસ નિમિતે સ્વર્ગીય અટલબિહ...