ડિસેમ્બર 25, 2025 3:45 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવશે..આગામી 31 ડિસેમ્બર સુધી યોજાનારા કાર્નિવલમાં દરરોજ સાંજે વિવિધ કલાકારો પોતાની કળાની પ્રસ્તુતિ કરશે. તેમજ કાર્નિવલમાં વિવિધ આકર્ષણ પણ જોવા મળશે.

ડિસેમ્બર 25, 2025 3:43 પી એમ(PM)

views 55

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા આહીરે આજે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું.

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા આહીરે આજે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે અન્ય હોદ્દાના કામની વ્યસ્તતાના કારણે તેઓએ રાજીનામું આપ્યું છે. શ્રી આહીરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરની ઉપસ્થિતિમ...

ડિસેમ્બર 25, 2025 3:22 પી એમ(PM)

views 17

વિકસિત ભારત –-G RAM G અધિનિયમ, 2025” અંગે જાગૃતિ ફેલાવવા પંચમહાલ જિલ્લાના ગોધરાના સાંપા ગામે ગ્રામસભાનું આયોજન કરાયું.

વિકસિત ભારત –-G RAM G અધિનિયમ, 2025” અંગે જાગૃતિ ફેલાવવા પંચમહાલ જિલ્લાના ગોધરાના સાંપા ગામે ગ્રામસભાનું આયોજન કરાયું. ગામના સરપંચ ઉદેસિંહ પગીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ ગ્રામસભામાં નવા અધિનિયમની મુખ્ય જોગવાઈઓ અંગે ગ્રામજનોને વિગતવાર માહિતી અપાઈ. ગ્રામસભામાં જણાવાયુ કે VB-G RAM G અધિનિયમ, 2025 હેઠળ ...

ડિસેમ્બર 25, 2025 3:12 પી એમ(PM)

views 18

મહેસાણા જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ઘેટાં બકરામાં કૃમિનાશક કાર્યક્રમ શરૂ કરાયો હતો.

મહેસાણા જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ઘેટાં બકરામાં કૃમિનાશક કાર્યક્રમ શરૂ કરાયો હતો. જેમાં એક લાખ 22 હજાર કરતા વધુ ઘેટાં બકરાને કૃમિ નાશક દવાઓ પીવડાવી રોગથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. કૃમિથી ઘેટાં બકરામાં વિવિધ રોગ થાય છે, ત્યારે તેઓને સુરક્ષિત કરવા 102 પશુધન નિરીક્ષક અને 21 પશુ ચિકિત્સા અધિકારી ફરજમ...

ડિસેમ્બર 25, 2025 2:29 પી એમ(PM)

views 16

સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારંભને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વર્ષ 2030 માં, અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી સમગ્ર વિશ્વ ભારત તરફ જોશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું સાંસદ ખેલ મહોત્સવ દ્વારા દેશભરમાં હજારો પ્રતિભાશાળી રમતવીરો ઉભરી રહ્યા છે. આજે સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહને વર્ચ્યુઅલી સંબોધતા શ્રી મોદીએ કહ્યું તેનો વ્યાપ અને અસર નોંધપાત્ર રીતે વિસ્તરી છે. ખેલ મહોત્સવ યુવા વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણનો મજબૂત સ્તંભ બની રહ્ય...

ડિસેમ્બર 25, 2025 2:28 પી એમ(PM)

views 29

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય રાજધાનીમાં તેમની સમાધિ સદૈવ અટલ ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ભાજપના રાષ્ટ્ર...

ડિસેમ્બર 25, 2025 2:34 પી એમ(PM)

views 25

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકેથી આજે સવારે તેની પ્રથમ વાણિજ્યિક ફ્લાઇટના આગમન સાથે તેની એરસાઇડ કામગીરીનો પ્રારંભ.

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકેથી આજ સવારે તેની પ્રથમ વાણિજ્યિક ફ્લાઇટના આગમન સાથે તેની એરસાઇડ કામગીરીનો પ્રારંભ કર્યો છે. વિમાનને આગમન પર ઔપચારિક વોટર કેનન સલામી આપવામાં આવી હતી, બેંગલુરુથી ઇન્ડિગો ફ્લાઇટે સવારે 8:00 વાગ્યે ઉતરાણ કર્યું હતું. પરંપરાગત વોટર કેનન સલામી સાથે તેનું સ્વાગત કરવામાં આવ્...

ડિસેમ્બર 25, 2025 2:21 પી એમ(PM)

views 32

આજે દેશભરમાં નાતાલની ઉજવણી … રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનંત્રીએ શુભકામનાઓ પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશને નાતાલની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આ તહેવાર માનવતાના કલ્યાણ માટે ભગવાન ઈસુ ખ્રિસ્તના બલિદાનની યાદ અપાવે છે. તેમણે કહ્યું કે નાતાલ લોકોને સમાજમાં શાંતિ, સં...

ડિસેમ્બર 25, 2025 2:20 પી એમ(PM)

views 28

ગૃહ મંત્રાલયમાં મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના ખાસ સહાયક ખુદાબક્ષ ચૌધરીએ બાંગ્લાદેશમાં તેમના પદ પરથી રાજીનામું ધર્યુ

ગૃહ મંત્રાલયમાં મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના ખાસ સહાયક ખુદા બક્ષ ચૌધરીએ બાંગ્લાદેશમાં તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બુધવારે રાત્રે જાહેર કરાયેલા ગેઝેટ નોટિફિકેશન મુજબ, રાષ્ટ્રપતિ દ્વારા તેમનું રાજીનામું તાત્કાલિક સ્વીકારવામાં આવ્યું હતું મુખ્ય સલાહકારની પ્રેસ વિંગે આ ઘટનાક્રમની પુષ્ટિ કરી હ...

ડિસેમ્બર 25, 2025 4:29 પી એમ(PM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ સાથે મળીને વિકસિત ભારત વિકસિત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે તેવું અધિકારીઓ અને કર્મચારીઓને આહ્વાન કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ સાથે મળીને વિકસિત ભારત વિકસિત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે તેવું અધિકારીઓ અને કર્મચારીઓને આહ્વાન કર્યું. ગાંધીનગરમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતીએ સુશાસન દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે સુશાસન દિવસની ઉજવણી માત્ર એક ...