જાન્યુઆરી 17, 2026 1:22 પી એમ(PM)

views 34

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદીઓ માર્યા ગયા.

છત્તીસગઢમાં, આજે બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં બે માઓવાદીઓ માર્યા ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, જિલ્લાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારના જંગલમાં માઓવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોની એક સંયુક્ત ટીમ રવાના કરવામાં આવી હતી. આજે સવારે સર્ચ ઓપરેશન દરમિયાન આ એન્કાઉન્ટર થ...

જાન્યુઆરી 17, 2026 1:24 પી એમ(PM)

views 24

દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે હવાઇ અને ટ્રેન સેવા ખોરવાઇ..177 ટ્રેન મોડી દોડી રહી છે

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં આજે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું, ઉત્તર ભારતમાં ચાલી રહેલી ઠંડીના કારણે રેલ અને હવાઈ ટ્રાફિક પર ગંભીર અસર પડી. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (આઈજીઆઈ) એરપોર્ટ પર નબળી દૃશ્યતાએ અનેક ફ્લાઇટ્સ મોડી પડી. ધુમ્મસ અને ઓછી દૃશ્યતાને કારણે કુલ 177 ટ્રેનો મોડી ચાલી ર...

જાન્યુઆરી 17, 2026 1:18 પી એમ(PM)

views 27

વધતા તણાવ વચ્ચે ગઈકાલે મોડી રાત્રે ઈરાનથી ઘણા ભારતીય નાગરિકો સહીસલામત નવી દિલ્હી પહોંચ્યા.

વધતા તણાવ વચ્ચે ગઈકાલે મોડી રાત્રે ઈરાનથી ઘણા ભારતીય નાગરિકો નવી દિલ્હી પહોંચ્યા છે. સરકારે ઈરાનમાં રહેતા નાગરિકોને અસ્થિર સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશ છોડી દેવા સલાહ જાહેર કરી છે. મીડિયા સાથે વાત કરતા, ઈરાનથી પરત આવેલા એક ભારતીય નાગરિકે સરકારના સમર્થન અને સહયોગ બદલ આભાર માન્યો છે. વિદેશ ...

જાન્યુઆરી 17, 2026 1:17 પી એમ(PM)

views 42

મહિલા પ્રિમીયર લીગમાં આજે મુંબઇમાં યુપીવોરિયર્સ અને મુંબઇ ઇન્ડિયન્સ તેમજ અન્ય મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે મુકાબલો.

મહિલા પ્રીમિયર લીગ (WPL) ક્રિકેટમાં, આજે નવી મુંબઈમાં ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે બે મેચ રમાશે. જેમાં પહેલી મેચમાં, યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામસામે રમશે. આ મેચ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. બીજી મેચમાં, દિલ્હી કેપિટલ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. આ મેચ સાંજે 7:30 વ...

જાન્યુઆરી 17, 2026 2:32 પી એમ(PM)

views 39

ગાંધીનગરના ખોરજ ખાતે મારૂતિ સુઝૂકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા 35 હજાર કરોડ રૂપિયાના રોકાણ થકી વાહનોના ઉત્પાદનનો પ્લાન્ટ તૈયાર કરાશે.

ગાંધીનગરના ખોરજ ખાતે મારૂતિ સુઝૂકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા 35 હજાર કરોડ રૂપિયાના રોકાણ થકી વાહનોના ઉત્પાદનનો પ્લાન્ટ તૈયાર કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને મારૂતિ સુઝૂકી વચ્ચે રોકાણ માટેના પત્ર સોંપવા માટેના કાર્યક્રમમાં આ નિર્ણય કરાયો હતો. તે મુજબ કંપની દ્વારા 35 હજાર ...

જાન્યુઆરી 17, 2026 10:02 એ એમ (AM)

views 35

પંજાબને હરાવીને સૌરાષ્ટ્ર વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ્યું

ક્રિકેટમાં વિજય હજારે ટ્રોફીની બીજી સેમિફાઇનલમાં, સૌરાષ્ટ્રએ પંજાબને 9 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આવતીકાલે ફાઇનલમાં સૌરાષ્ટ્રનો મુકાબલો વિદર્ભ સામે થશે.બેંગ્લુરુમાં રમાયેલી મૅચમાં પંજાબની ટીમે પહેલે બેટિંગ કરી નિર્ધારિત 50 ઑવરમાં 291 રન કર્યા હતા.જવાબમાં સૌરાષ્ટ્રએ 39 ઓવર અને 3 બોલમાં આ ...

જાન્યુઆરી 17, 2026 10:01 એ એમ (AM)

views 65

રાજ્યમાં આગામી દિવસોમા ઠંડી ઘટવાની આગાહી

રાજ્યમાં ઠંડી ઘટશે, તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. પવનની દિશા બદલાતા તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધશે. તેમ હવામાન વિભાગના વડા ડૉક્ટર એ.કે. દાસે જણાવ્યુ હતું.

જાન્યુઆરી 17, 2026 9:46 એ એમ (AM)

views 34

રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓના પરિણામે ગુજરાત નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પાંચમી વખત ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ બન્યું.

રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓના પરિણામે ગુજરાત નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પાંચમી વખત 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' બન્યુ હોવાનું પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. વર્ષ 2018, 2019, 2020 અને 2022 બાદ તાજેતરમાં જ જાહેર થયેલા વર્ષ 2024ના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પણ ગુજરાત અવ્વલ રહ્યું હોવાનું પ્રવક્તા...

જાન્યુઆરી 17, 2026 9:44 એ એમ (AM)

views 43

વિધાનસભાનું બજેટ સત્ર 16મી ફેબ્રુઆરીથી શરૂ થશે, 17મીએ નાણામંત્રી ગૃહમાં અંદાજ પત્ર રજૂ કરશે

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી શરૂ થશે. જ્યારે 17 ફેબ્રુઆરીના રોજ નાણાંમંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. વિધાનસભાના 8મા સત્રનું આહ્વાન રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યું છે. 23 દિવસ ચાલનારા આ સત્રમાં 26 બેઠકો મળશે. તેમ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું.

જાન્યુઆરી 17, 2026 9:43 એ એમ (AM)

views 33

ગુજરાતનાં મહેસાણામાં મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આજથી બે દિવસિય ઉત્તરાર્ધ મહોત્સવ-2026નું આયોજન

ગુજરાતનાં મહેસાણામાં વિશ્વ વિખ્યાત ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આજથી બે દિવસિય ઉત્તરાર્ધ મહોત્સવ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાને ઉજાગર કરતા આ દ્વિદિવસીય મહોત્સવમાં વિશ્વ વિખ્યાત શાસ્ત્રીય નૃત્ય કલાકારો પોતાની નૃત્ય પ્રસ્તુતિ કરશે.