ફેબ્રુવારી 12, 2025 2:15 પી એમ(PM)

views 42

પ્રયાગરાજમાં મહાકુંભના માઘી પૂર્ણિમા સ્નાનમાં આજે માનવ મહેરામણ

પ્રયાગરાજમાં આજે મહાકુંભનું માઘી પૂર્ણિમા સ્નાન ચાલી રહ્યું છે. આ સ્નાનનું વિશેષ મહત્વ છે કારણ કે તે કલ્પવાસની ખાસ વિધિના સમાપનનું પ્રતીક છે. આ વર્ષે 10 લાખથી વધુ કલ્પવાસીઓ તેમાં ભાગ લેશે. મહાકુંભમાં કલ્પવાસ ખાસ કરીને ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માઘ પૂર્ણિમા સુધી પ્રયાગરાજમાં સંગ...

ફેબ્રુવારી 12, 2025 2:12 પી એમ(PM)

views 45

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાબૂદ કરવા સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાબૂદ કરવા માટે સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું છે, શાહે ગુપ્ત માહિતી માટે ટેકનોલોજીના મહત્વનો પુનરોચ્ચાર કર્યો છે. ગૃહમંત્રીએ કહ્યું કે, આતંકવાદી ભંડોળ પર દેખરેખ, નાર્કો-આતંકના કેસ પર પકડ મજબૂત બના...

ફેબ્રુવારી 12, 2025 2:08 પી એમ(PM)

views 19

જાણીતી ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણે વિદ્યાર્થીઓને નિષ્ફળતાના ડરની ચિંતા કર્યા વિના તેમની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી

જાણીતી ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણે વિદ્યાર્થીઓને નિષ્ફળતાના ડરની ચિંતા કર્યા વિના તેમની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી. પાદુકોણ "પરીક્ષા પે ચર્ચા - 2025" ના બીજા ભાગ દરમિયાન માનસિક સ્વાસ્થય અને સુખાકારી વિષે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ સ્પષ્ટતા ...

ફેબ્રુવારી 12, 2025 2:03 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રો આજે માર્સએમાં ભારતના પ્રથમ નવા દૂતાવાસનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે

પેરિસમાં ઉચ્ચ સ્તરીય કાર્યક્રમો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે માર્સે પહોંચ્યા છે. પ્રધાનમંત્રીનું આગમન થતાં ભારતીય સમુદાય દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રો આજે માર્સએમાં ભારતના પ્રથમ નવા દૂતાવાસનું સંયુક્ત ર...

ફેબ્રુવારી 12, 2025 11:43 એ એમ (AM)

views 22

રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં અંદાજે 74 હજાર ક વધુ કુટિર ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને 634 કરોડ રૂપિયાની સબસીડી સહાય અપાઈ છે.

રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં અંદાજે 74 હજાર ક વધુ કુટિર ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને 634 કરોડ રૂપિયાની સબસીડી સહાય અપાઈ છે. કુટિર, ગ્રામોદ્યોગ, હાથ વણાટ અને હસ્તકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા કારીગરોને આર્થિક રીતે વધુ સમક્ષ બનાવીને તેમને ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે તે માટે સબસીડી સહાય અપાય છે. મુખ્યમંત્...

ફેબ્રુવારી 12, 2025 11:21 એ એમ (AM)

views 77

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2023 માટે કચ્છી ભાષાનાં ગૌરવ પુરસ્કાર અંગેની જાહેરાત કરવામાં આવી

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2023 માટે કચ્છી ભાષાનાં ગૌરવ પુરસ્કાર અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર માટે વિશ્રામ ગઢવી અને યુવા ગૌરવ પુરસ્કાર માટે ડૉ. પૂર્વી ગોસ્વામીની પસંદગી કરવામાં આવી છે. આ નિર્ણય ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાની અધ્યક્ષતામાં મળેલ સમિતિ...

ફેબ્રુવારી 12, 2025 11:17 એ એમ (AM)

views 18

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક વર્ષમાં 265 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક વર્ષમાં 265 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન 362 ટનથી વધુ અખાદ્ય વસ્તુઓ અને ભેળસેળયુક્ત વસ્તુઓ જપ્ત કરીને નાશ કરવામાં આવી છે. આ ચીજવસ્તુઓની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા જેટલી થાય છે.

ફેબ્રુવારી 12, 2025 11:09 એ એમ (AM)

views 25

ગુજરાત યુનિવર્સિટીએ NAACનો A+ ગ્રેડ મેળવ્યો

ગુજરાત યુનિવર્સિટીએ NAACનો A+ ગ્રેડ મેળવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીને A+ ગ્રેડ મળતા 20 કરોડની જે ગ્રાન્ટ મળતી હતી. તેની જગ્યાએ 100 કરોડ સુધીની મળશે. આ ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળશે. A+ ગ્રેડ મળવાને કારણે વિદ્યાર્થીઓને ફાયદો થશે. વિદ્યાર્થીની ડિગ્રીમાં A+ ગ્રેડનો ઉલ્લેખ થશે. જેથી એડમિશન અને જોબ ઓફરમાં...

ફેબ્રુવારી 12, 2025 10:25 એ એમ (AM)

views 29

ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને પીઠની ઈજાના કારણે ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને પીઠની ઈજાના કારણે ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગઈકાલે રાત્રે કહ્યું કે બુમરાહના સ્થાને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ સાથે ચાલી રહેલી એક દિવસીય ક્રિકેટ શ્રેણીમ...

ફેબ્રુવારી 12, 2025 10:18 એ એમ (AM)

views 30

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની એક દિવસીય શ્રેણીની છેલ્લી મેચ આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની એક દિવસીય શ્રેણીની છેલ્લી મેચ આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ બપોરે દોઢ વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ પહેલાથી જ શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી ચૂકી છે. કટકમાં રમાયેલી છેલ્લી મેચમાં કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી હતી.