જાન્યુઆરી 4, 2025 7:47 પી એમ(PM)

views 14

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ- 2025નું આયોજન કરાશે

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ- 2025નું આયોજન કરાશે. રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન આ મહોત્સવનું આયોજન કરાશે. જેમાં શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે 51 ...

જાન્યુઆરી 4, 2025 7:45 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી હતી. શ્રી મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કર્યું કે, મને આ શો સાથે મજબૂત લગાવ છે, કારણ કે મેં મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેને વધતો જોયો છે. આવા શો કુદરતની સુંદરતાની ઉજવણી કરે છે અને ટકાઉપણું વિશે જાગૃતિને પ્રેરણા આપ...

જાન્યુઆરી 4, 2025 7:45 પી એમ(PM)

views 28

ગીર સોમનાથ જિલ્લામાં તાત્કાલીક સેવાઓના કર્મચારીઓ નવા વર્ષે નાગરિકલક્ષી સુવિધા વધુ સરળ બનાવવા સંકલ્પબદ્ધ બન્યાં હતાં

ગીર સોમનાથ જિલ્લામાં કાર્યરત નાગરિક હિતલક્ષી સેવાઓ 108, 181, 1962 અને ખિલખિલાટના કર્મચારીઓએ વેરાવળ ખાતે નવા વર્ષમાં વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે કામ કરવાના અને નાગરિકલક્ષી સેવાઓ વધુ સરળ બનાવવાના સંકલ્પ લીધા હતાં. ઉલ્લેખનીય છે કે, નાગરિકોનો જીવ બચાવવા તેમજ કપરા સમયમાં સત્વરે 108 સેવાના કર્મચારીઓ હંમેશા ખ...

જાન્યુઆરી 4, 2025 7:43 પી એમ(PM)

views 13

આજના ચોથી જાન્યુઆરીના દિવસને વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

આજના ચોથી જાન્યુઆરીના દિવસને વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુ અને આંશિક દ્રષ્ટિ ધરાવતા લોકો માટે સંદેશા વ્યવહારના સાધન તરીકે બ્રેઈલના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરાય છે. વર્ષ 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બ્રેઈલ પ્રણાલિના વિચારક લુઈસ બ્રેઈલની જયંતી નિ...

જાન્યુઆરી 4, 2025 7:41 પી એમ(PM)

views 18

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ભારતીય માનક મેળો યોજાયો હતો

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ભારતીય માનક મેળો યોજાયો હતો. વિજ્ઞાન, ટેક્નોલોજી અને રોજિંદા જીવનમાં માનક કેટલા ઉપયોગી છે તેની સમજ બાળકોમાં અત્યારથી કેળવાય એ માટે આ મેળાનું આયોજન કરાયું હતું.. ભારતીય માનક બ્યુરોનાં ૭૮મા સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં ભારતીય માનક બ્યુરો અમદાવાદ, સાયન્સ સિટી- અમદાવાદ તેમજ ગુજ...

જાન્યુઆરી 4, 2025 7:38 પી એમ(PM)

views 15

દિવ્યાંગોના પ્રોત્સાહન અને રમત પ્રત્યેની ઋચિ વધારવાના આશય સાથે રાજ્ય સરકાર દ્વારા વિશેષ ખેલ મહાકુંભનું દર વર્ષે આયોજન થાય છે

દિવ્યાંગોના પ્રોત્સાહન અને રમત પ્રત્યેની ઋચિ વધારવાના આશય સાથે રાજ્ય સરકાર દ્વારા વિશેષ ખેલ મહાકુંભનું દર વર્ષે આયોજન થાય છે. ગુજરાત સરકાર દ્વારા યોજાનાર વિશેષ ખેલ મહાકુંભમાં પ્રજ્ઞાચક્ષુ લોકોને હરિફાઇમાં ભાગ લેવા માટેના વિવિધ રમતોના ફોર્મ ભરવાનો પ્રારંભ થઇ ગયો છે જેમાં ક્રિકેટ, ચેસ, તથા એથલેટિકસનો ...

જાન્યુઆરી 4, 2025 7:35 પી એમ(PM)

views 16

સાબરકાંઠા જિલ્લામાં દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના દ્વારા એક વર્ષમાં એક લાખથી વધુ પશુ- પક્ષીઓને સારવાર આપીને નવું જીવનદાન મળ્યું

સાબરકાંઠા જિલ્લામાં દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના દ્વારા એક વર્ષમાં એક લાખથી વધુ પશુ- પક્ષીઓને સારવાર આપીને નવું જીવનદાન મળ્યું છે. સાજિલ્લામાં એક કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨ અને દસ ગામ દીઠ ફરતા કુલ ૧૫ પશુ દવાખાના કાર્યરત છે. પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતીક સુથારના જણાવ્યા અનુસાર કરુણા એનિમલ એમ્બ્ય...

જાન્યુઆરી 4, 2025 7:21 પી એમ(PM)

views 15

નવી દિલ્હી ખાતે યોજાયેલી ૬૭મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં સુરેન્દ્રનગરના ભુપેન્દ્ર પટેલે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો

નવી દિલ્હી ખાતે યોજાયેલી ૬૭મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં સુરેન્દ્રનગરના ભુપેન્દ્ર પટેલે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. ૫૦ મીટર ફ્રી પિસ્તોલ સ્પર્ધામાં ૬૦૦ માંથી ૪૮૭ પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ મેળવીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો.. ભારતભરમાંથી સાત હજાર ૫૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.. ભુપેન્દ્ર પટેલે રા...

જાન્યુઆરી 4, 2025 3:12 પી એમ(PM)

views 22

ઉત્તર રેલવેના જમ્મુ તાવી મથક પર પુનઃવિકાસના કામના કારણે કેટલીક ટ્રેનને આંશિક રીતે રદ કરાઈ છે

ઉત્તર રેલવેના જમ્મુ તાવી મથક પર પુનઃવિકાસના કામના કારણે કેટલીક ટ્રેનને આંશિક રીતે રદ કરાઈ છે. 7થી 13 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરથી ઉપડનારી ગાંધીનગર કેપિટલ - જમ્મુ તાવી એક્સપ્રેસ, 12મી તારીખે સાબરમતી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ અને ભાવનગર ટર્મિનસ - શહીદ કપ્તાન તુષાર મહાજન એક્સપ્રેસ આંશિક રીતે ...

જાન્યુઆરી 4, 2025 3:08 પી એમ(PM)

views 12

આજના ચોથી જાન્યુઆરીના દિવસને વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે

આજના ચોથી જાન્યુઆરીના દિવસને વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રજ્ઞાચક્ષુ અને આંશિક દ્રષ્ટિ ધરાવતા લોકો માટે સંદેશા વ્યવહારના સાધન તરીકે બ્રેઈલના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરાય છે. વર્ષ 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બ્રેઈલ પ્રણાલિના વિચારક લુઈસ બ્રેઈલની જય...