જાન્યુઆરી 10, 2026 9:31 એ એમ (AM)

printer

ઉર્જા મંત્રીની કિસાન સંઘના પદાધિકારીઓ સાથે બેઠક બાદ તમામ મુદ્દાઓની ચર્ચા માટે સંકલન સમિતિની રચના

ભારતીય કિસાન સંઘ, જે ખેડૂતોનું એક સેવાભાવી સંગઠન છે, તેના દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલા વિવિધ મુદ્દાઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર અને કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે શ્રેણીબદ્ધ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.