ઓગસ્ટ 1, 2026 6:15 પી એમ(PM)
20
‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ કાર્યક્રમ યોજાશે: 1 કરોડથી વધુ યુવાનો જોડાશે
માય ભારત દ્વારા દેશવ્યાપી 'નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત - સંકલ્પ અભિયાન' અંતર્ગત આવતીકાલે અમદાવાદમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી દેશના યુવાનોને સંબોધિત કરશે, જેમાં અમદાવાદના યુવાનો પ્રત્યક્ષ રીતે જોડાઈને નશામુક્ત સમાજના નિર્માણ માટે શપથ લેશે. ગુજરાત યુનિવર્સિટી ખાતે 250થી વધુ યુવાનો લેશે શપથ અમદાવાદ જિલ્લામાં માય ભારત, જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટીના મહર્ષ...