કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ આજે જણાવ્યું કે, પીએમ સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના ભારતમાં 50 લાખ લાભાર્થી પરિવારોને વટાવી ગઈ છે. નવી દિલ્હીમાં CII આંતરરાષ્ટ્રીય ઉર્જા પરિષદ અને પ્રદર્શનને સંબોધતા મંત્રીએ ભાર મૂક્યો હતો કે, હાલમાં 19 લાખ પરિવારોને શૂન્ય વીજળી બિલ મળી રહ્યા છે.
શ્રી જોશીએ જણાવ્યું હતું કે, આ યોજના સાથે 12 લાખથી વધુ પરિવારોએ વધારાની વીજળી વેચીને 421 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બિન-અશ્મિભૂત ક્ષમતા વિશે વાત કરતા તેમણે કહ્યું કે, દેશ 2030 સુધીમાં 500 ગીગાવોટના લક્ષ્યને પ્રાપ્ત કરવાના માર્ગ પર છે.
Site Admin | ઓગસ્ટ 6, 2026 1:56 પી એમ(PM)
પીએમ સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના ભારતમાં 50 લાખ ઘરો સુધી પહોંચી.