પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં નીરજ ચોપરાને રજત ચંદ્રક જીતવા બદલ અને યશ વીર સિંહને મેન્સ જેવલિન થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ ફરી એકવાર નોંધપાત્ર સુસંગતતા, સંયમ અને રમતગમતની ભાવના દર્શાવવા બદલ નીરજ ચોપરાની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સિદ્ધિઓ દરેક ભારતીયને ગર્વ કરાવે છે. યશ વીર સિંહને અભિનંદન આપતા શ્રી મોદીએ કહ્યું કે, યુવા ખેલાડીએ પ્રભાવશાળી થ્રો કર્યો, જે તેમના ઉત્સાહ અને સમર્પણને પ્રતિબિંબિત કરે છે.
News On AIR | ઓગસ્ટ 1, 2026 2:38 પી એમ(PM)
પ્રધાનમંત્રીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાને રજત ચંદ્રક અને યશ વીર સિંહને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા.