ઓગસ્ટ 5, 2026 8:07 પી એમ(PM)

printer

સંસદે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક, 2026 પસાર કર્યું.

સંસદે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક, 2026 પસાર કરી દીધું છે, રાજ્યસભાએ ચર્ચા પછી આ વિધેયક લોકસભામાં પરત મોકલ્યો છે. લોકસભાએ સોમવારે તેને પસાર કર્યું હતું. આ વિધેયક સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા અધિનિયમ, 1956 માં સુધારો કરે છે, જેના દ્વારા મુખ્ય ન્યાયાધીશ સિવાય સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યા હાલના 33 થી વધારીને 37 કરવામાં આવશે. આ વર્ષે મે મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યા 33 થી વધારીને 37 કરવા માટે એક વટહુકમ બહાર પાડ્યો હતો. રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપતા, કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે, જરૂરિયાત મુજબ, સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા નિયમિતપણે વધારવામાં આવે છે.

વિધેયક લોકસભામાં પરત મોકલ્યા પછી, ગૃહે ખાસ ઉલ્લેખનો પ્રસ્તાવ રજૂ કર્યો જેમાં વિવિધ સભ્યોએ જાહેર મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા. કામકાજ પૂર્ણ કર્યા પછી, ઉપાધ્યક્ષે ગૃહને આવતીકાલે સવારે 11 વાગ્યે ફરી મળવા માટે દિવસ માટે મુલતવી રાખ્યું.