ઓગસ્ટ 11, 2026 11:35 એ એમ (AM)

printer

એનિમિયા-મુક્ત ભારતના સંકલ્પ સાથે રાજ્યભરમાં એક કરોડથી વધુ બાળકો અને કિશોરોને કૃમિનાશક દવાઓના વિતરણનું આયોજન

આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ ઉજવાયો. સરકારી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે શ્રી પાનશેરીયાએ કહ્યું, એનિમિયા-મુક્ત ભારતના સંકલ્પ સાથે રાજ્યભરમાં એક કરોડથી વધુ બાળકો અને કિશોરોને કૃમિનાશક દવાઓનું વિતરણ કરાશે. રાષ્ટ્રીય કૃમિનાશક દિવસના દિવસે ગુજરાતમાં ૧ કરોડ ૮૪ લાખ ૧૯ વર્ષથી નીચેના દીકરા-દીકરીઓને આ કૃમિનાશક દવા આપવામાં આવશે, કુપોષણ અને પેટના ઘણા રોગો આનાથી અટકાવી શકાય. તેમણે શાળાના બાળકો સાથે સંવાદ સાધી તેમને દૈનિક જીવનમાં સારી ટેવ કેળવવા, સ્વચ્છતા જાળવવા અને માતા-પિતા પ્રત્યે આદરભાવ રાખવા પ્રેરણા આપી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.