અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિને પગલે રાજ્યની 137 રેસ્ટોરન્ટ્સ બંધ કરવામાં આવી. આજે ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં આ વિગતો રજૂ કરવામાં આવી. શ્રી પાનશેરીયાએ વિશેષ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 187 રેસ્ટોરેન્ટ્સ પર કરવામાં આવેલી આકસ્મિક તપાસની વિગતો મેળવી હતી.
આ ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયમોનો ભંગ કરનાર બે રેસ્ટોરન્ટ્સ, રાજકોટ જિલ્લામાં એક અને નડિયાદમાં ૩ રેસ્ટો્રેન્ટ એમ કુલ ૬ રેસ્ટો રેન્ટકને સીલ કરવામાં આવી છે. જ્યારે અન્ય 40 રેસ્ટોરન્ટ્સને ક્ષતિઓ સુધારા નોટિસ અપાઈ છે અને ચાર રેસ્ટોરન્ટ્સના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે.