ડિસેમ્બર 31, 2025 7:25 પી એમ(PM)

views 38

રાજ્યના વાતાવરણમાં પલટો-સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં આજે હળવો વરસાદ.

રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં આજે હળવો વરસાદ પડ્યો. ભરશિયાળે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખંભાળિયા તેમજ કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ થયો. અચાનક પડેલા વરસાદથી દ્વારકાના માર્ગો પર પાણી ભરાયા. કચ્છ જિલ્લાના ભચાઉમાં...

ડિસેમ્બર 31, 2025 7:09 પી એમ(PM)

views 37

આવતીકાલે નવા વર્ષની સવારે લાખો નાગરિકો વર્ચ્યુઅલ માધ્યમથી સૂર્ય નમસ્કાર કરશે.

આવતીકાલે સમગ્ર વિશ્વનું નવું વર્ષ 2026 શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર કરવા આવતીકાલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 'સૂર્ય નમસ્કાર અને ધ્યાન' સત્રનું આયોજન કરાયું છે, જેમાં સવારે 7 થી 8 કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો લોકો એક સાથે સૂર્ય નમસ્કાર કરશે.જેમાં નાયબ મુ...

ડિસેમ્બર 31, 2025 7:05 પી એમ(PM)

views 36

છેલ્લા 22 વર્ષોમાં સ્વાગત કાર્યક્રમ દ્વારા 99 ટકાથી વધુ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો

ગુજરાતના નાગરિકોનો છેલ્લા 22 વર્ષોથી સરકારમાં વિશ્વાસ દૃઢ કરતું પ્લેટફોર્મ એટલે સ્વાગત કાર્યક્રમ.પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ SWAGATને એક સક્રિય અને લોક-કેન્દ્રિત પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું હતું છેલ્લા 22 વર્ષોમાં SWAGAT પ્લેટફોર્મ થકી 99%થી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો ...

ડિસેમ્બર 31, 2025 2:33 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દોહામાં આયોજિત FIDE વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અર્જુન એરિગૈસીને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં FIDE રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીત્યા બાદ દોહામાં FIDE વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અર્જુન એરિગૈસીને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે અર્જુનની કુશળતા, ધીરજ અને જુસ્સો અનુકરણીય છે. પ્રધાનમંત...

ડિસેમ્બર 31, 2025 2:32 પી એમ(PM)

views 15

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પંજાબમાં મનરેગા સહિત અનેક યોજનાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પંજાબમાં મનરેગા સહિત અનેક યોજનાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ગઈકાલે ભોપાલમાં એક પત્રકાર પરિષદ દરમિયાન શ્રી ચૌહાણે આરોપ લગાવ્યો હતો કે નાણાકીય ઉચાપતના લગભગ 10 હજાર 653 કેસ સામે આવ્યા છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ...

ડિસેમ્બર 31, 2025 2:31 પી એમ(PM)

views 20

CBSEની સુધારેલી તારીખો જાહેર, ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચ અને 12 ની પરીક્ષા 10 એપ્રિલના લેવાશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓની સુધારેલી તારીખો જાહેર કરી છે. CBSE ના જણાવ્યા અનુસાર, ધોરણ 10 ના વિદ્યાર્થીઓની પરીક્ષા, 11 માર્ચે યોજાશે, જે અગાઉ આગામી વર્ષની 3 માર્ચે યોજાવાની હતી, જ્યારે ધોરણ 12 ની પરીક્ષાની તારીખ 10 એપ્રિલ કરવામાં આવી છે, જે 3 માર્...

ડિસેમ્બર 31, 2025 2:30 પી એમ(PM)

views 28

ઉત્તરાખંડના ચમોલીમાં વિષ્ણુગઢ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના પીપલકોટી ખાતે ટનલ બોરિંગ મશીન સ્થળ પર લોકો ટ્રેન અથડાતા 12 લોકો ઘાયલ

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં વિષ્ણુગઢ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના પીપલકોટી ખાતે ટનલ બોરિંગ મશીન સ્થળ પર લોકો ટ્રેન અથડાઇ જેમાં 12 લોકો ઘાયલ થયા હતા. બે લોકો ટ્રેનો - એક મુસાફરોને લઈ જતી હતી અને બીજી સામગ્રી (કાટમાળ) લઈ જતી હતી - પ્રોજેક્ટ ટનલની અંદર અથડાઈ. TBM ટનલ બોરિંગ મશીનની અંદર કામ કરતા ઘણા કા...

ડિસેમ્બર 31, 2025 2:28 પી એમ(PM)

views 16

31મી ડિસેમ્બર અને નવા વર્ષના આગમનની ઉજવણી સલામત રીતે થાય તે માટે મુંબઇ પોલીસ સજ્જ

31મી ડિસેમ્બર અને નવા વર્ષના આગમનની ઉજવણી સલામત રીતે થાય તે માટે મુંબઇ પોલીસ સજ્જ છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 17 હજારથી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તાત્કાલિક સહાયની જરૂર હોય તો, લોકોને પોલીસ હેલ્પલાઇન નંબર 100 અથવા 112 પર સંપર્ક કરવાની પોલીસ દ્વારા સ...

ડિસેમ્બર 31, 2025 2:27 પી એમ(PM)

views 57

વર્ષના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ.

બેન્કિંગ, ઉર્જા, ધાતુ જેવા ક્ષેત્રોના શેરોની આગેકૂચના પગલે ભારતીય શેરબજારમાં આજે વર્ષના છેલ્લા દિવસના છેલ્લા સેશનમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. ભારતીય અને વિદેશી રોકાણકારોના ઉત્સાહના પગલે સેન્સેક્સ 600 કરતાં વધુ અને નિફ્ટીમાં 200 અંકોનો ઉછાળો નોંધાયો હતો. હાલમા પણ શેરબજારમાં તેજીનો માહોલ પ્રવર્તી ...

ડિસેમ્બર 31, 2025 2:26 પી એમ(PM)

views 24

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ.

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી રાજ્ય પ્રવાસ માટેની તૈયારીઓ, આગામી અંદાજપત્રની તૈયારી અને સમીક્ષા, રવિ મોસમમાં પાક વાવેતર અને સિંચાઈના પાણી અંગે ચ...