જુલાઇ 18, 2024 2:33 પી એમ(PM)

views 37

અમરનાથની પવિત્ર ગુફાનાં દર્શન માટે 4 હજાર 383 શ્રધ્ધાળુઓની વધુ એક ટૂકડી આજે જમ્મુનાં ભગવતી નગર યાત્રી બેઝ કેમ્પથી રવાના થઈ

અમરનાથની પવિત્ર ગુફાનાં દર્શન માટે 4 હજાર 383 શ્રધ્ધાળુઓની વધુ એક ટૂકડી આજે જમ્મુનાં ભગવતી નગર યાત્રી બેઝ કેમ્પથી રવાના થઈ હતી. આજે વહેલી સવારે યાત્રાળુઓ 157 વાહનો દ્વારા રવાના થયા હતા, જેમાં 3,222 પુરુષ, 1071 મહિલા, આઠ બાળકો, 67 સાધુ અને 15 સાધ્વીનો સમાવેશ થાય છે. 1701 યાત્રીઓ બાલતાલ બેઝ કેમ્પ અને ...

જુલાઇ 18, 2024 2:31 પી એમ(PM)

views 35

સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે ગાઝામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનાં રાજકીય ઉકેલ પર નવેસરથી ભાર મૂકવા વિનંતી કરી

સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે ગાઝામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનાં રાજકીય ઉકેલ પર નવેસરથી ભાર મૂકવા વિનંતી કરી છે. સુરક્ષા પરિષદમાં ગાઝા પર ચર્ચા દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીના કાર્યાલયના વડા કર્ટનેય રાત્રેયે, એક રાજકીય ઉકેલ શોધવા પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત...

જુલાઇ 18, 2024 2:29 પી એમ(PM)

views 47

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ અંતરિયાળ કર્ણાટક, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવામાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ અંતરિયાળ કર્ણાટક, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવામાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, તટીય આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યો છે. આજે, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થ...

જુલાઇ 18, 2024 2:27 પી એમ(PM)

views 44

મહિલા એશિયા કપ T-20 ટૂર્નામેન્ટ આવતીકાલથી શ્રીલંકાના દામ્બુલામાં શરૂ થશે. ટૂર્નામેન્ટની તમામ મેચો રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે

મહિલા એશિયા કપ T-20 ટૂર્નામેન્ટ આવતીકાલથી શ્રીલંકાના દામ્બુલામાં શરૂ થશે. ટૂર્નામેન્ટની તમામ મેચો રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટની ઉદઘાટન મેચ ગ્રૂપ-એમાં સંયુક્ત આરબ અમીરાત અને નેપાળ વચ્ચે રમાશે. ત્યારબાદ વર્તમાન ચેમ્પિયન ભારત ગ્રુપ Aનાં અન્ય એક મુકાબલામાં તેના કટ્ટર હરીફ પ...

જુલાઇ 18, 2024 2:25 પી એમ(PM)

views 37

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની સાતમી બેઠકનું અધ્યક્ષપદ સંભાળશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની સાતમી બેઠકનું અધ્યક્ષપદ સંભાળશે. શ્રી શાહ નેશનલ નાર્કોટિક્સ હેલ્પલાઇન ‘માનસ’ની શરૂઆત કરશે અને શ્રીનગરમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની ઝોનલ ઓફિસનું પણ ઉદઘાટન કરશે. આ ઉપરાંત તેઓ એનસીબીનાં 2023નાં વાર્ષિક અહેવાલ ...

જુલાઇ 18, 2024 2:22 પી એમ(PM)

views 47

કર્ણાટક સરકારે રાજ્યમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં સ્થાનિક નિવાસીઓને અનામતની જોગવાઈ કરતા ખરડાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો

કર્ણાટક સરકારે રાજ્યમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં સ્થાનિક નિવાસીઓને અનામતની જોગવાઈ કરતા ખરડાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ઉદ્યોગ સંગઠનો અને નિષ્ણાતોએ વિરોધ કર્યા પછી સરકારે પોતાનો નિર્ણય પાછો ઠેલ્યો છે. ગયા સોમવારે કર્ણાટકનાં ઉદ્યોગો, ફેક્ટરીઓ અને અન્ય ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક ઉમેદવારો માટે અનામત...

જુલાઇ 18, 2024 2:20 પી એમ(PM)

views 46

જમ્મુના ડોડા જિલ્લાના જંગલમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે જવાનને ઇજા થઈ છે

જમ્મુના ડોડા જિલ્લાના જંગલમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે જવાનને ઇજા થઈ છે. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે મધરાત્રે બે વાગે કાસ્તીગઢ વિસ્તારના એક ગામમાં અથડામણ થઈ હતી. આતંકવાદીઓએ એક સરકારી શાળામાં બનાવાયેલી કાયમી સલામતી છાવણી પર ગોળીબાર કર્યો. સલામતી દળોએ જવાબમાં કરેલી કાર્યવાહીને પગલે એક કલાક સુધી સ...

જુલાઇ 18, 2024 2:16 પી એમ(PM)

views 52

છત્તીસગઢમાં મોડી રાત્રે થયેલા માઓવાદી હુમલામાં વિશેષ કાર્યદળના બે જવાન શહીદ અને ચાર જવાન ઇજાગ્રસ્ત થયા

છત્તીસગઢમાં મોડી રાત્રે થયેલા માઓવાદી હુમલામાં વિશેષ કાર્યદળના બે જવાન શહીદ અને ચાર જવાન ઇજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિશેષ કાર્યદળ રાજ્યના બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદ પાસે માઓવાદીઓ વિરુદ્ધ તપાસ અભિયાન ચલાવી રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. માઓવાદીઓએ અચાનક હુમલો કરીને I.E.D વિસ્ફોટ ...

જુલાઇ 18, 2024 2:13 પી એમ(PM)

views 40

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળના પ્રથમ વર્ષના 75 મહત્વપૂર્ણ ભાષણોનું સંકલન કરતું પુસ્તક “વિંગ્સ ટુ અવર હોપ્સ – વોલ્યુમ I,”નું આજે વિમોચન થશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળના પ્રથમ વર્ષના 75 મહત્વપૂર્ણ ભાષણોનું સંકલન કરતું પુસ્તક "વિંગ્સ ટુ અવર હોપ્સ - વોલ્યુમ I,"નું આજે નવી દિલ્હીમાં વિમોચન થશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં ઈ-બુકનું વિમોચન કરશે. પ્રકાશન વિભાગે આ પુસ્તક...

જુલાઇ 18, 2024 2:09 પી એમ(PM)

views 37

ન્યાયાધીશ એન કોટીશ્વર સિંહ અને ન્યાયાધીશ આર મહાદેવને આજે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા

ન્યાયાધીશ એન કોટીશ્વર સિંહ અને ન્યાયાધીશ આર મહાદેવને આજે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા હતા. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે બંને ન્યાયાધીશને શપથ લેવડાવ્યા હતા. આ અગાઉ ન્યાયાધીશ એન કોટીશ્વર સિંહ જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. ન્યાયાધીશ આર મહાદેવન મદ્...