જુલાઇ 23, 2024 7:52 પી એમ(PM)

views 41

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ શ્રી પટેલે જિલ્લાના અધિકારો પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવવા બેઠક યોજી હતી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા વરસાદનું જોર આજે ઘટ્યું છે. ...

જુલાઇ 23, 2024 7:48 પી એમ(PM)

views 38

સર્વોચ્ચ અદાલતે પૂર્વ સ્નાતક પ્રવેશ પરીક્ષા- નીટ યુજી 2024 પરીક્ષા પ્રશ્નપત્ર ફૂટી જવાના અને ગેરરીતીઓના આધારે રદ કરવાનો ઇન્કાર કર્યો છે

સર્વોચ્ચ અદાલતે પૂર્વ સ્નાતક પ્રવેશ પરીક્ષા- નીટ યુજી 2024 પરીક્ષા પ્રશ્નપત્ર ફૂટી જવાના અને ગેરરીતીઓના આધારે રદ કરવાનો ઇન્કાર કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠે આજે આ ચૂકાદો આપ્યો. અદાલતે કહ્યું હતું કે, ...

જુલાઇ 23, 2024 7:46 પી એમ(PM)

views 59

રાજ્યમાં હાલમાં ચાંદીપુરાના શંકાસ્પદ 88 કેસ છે. આમાંથી કુલ 22 કેસ પોઝિટિવ આવ્યા છે

રાજ્યમાં હાલમાં ચાંદીપુરાના શંકાસ્પદ 88 કેસ છે. આમાંથી કુલ 22 કેસ પોઝિટિવ આવ્યા છે. સત્તાવાર યાદી મુજબ, આ પૈકી સૌથી વધુ 11 કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે. રાજ્યમાં ચાંદીપુરા શંકાસ્પદ વાઈરસના કારણે અત્યાર સુધી 36 દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે 46 દર્દી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં આરોગ્યની ...

જુલાઇ 23, 2024 7:45 પી એમ(PM)

views 37

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, 2024-2025નું કેન્દ્રીય અંદાજપત્ર વિકસિત ભારત માટે છે, તે સમાવેશી વિકાસ, સમાજના દરેક વર્ગને લાભકારી નીવડશે અને વિકસિત ભારતનો માર્ગ પ્રશસ્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, 2024-2025નું કેન્દ્રીય અંદાજપત્ર વિકસિત ભારત માટે છે, તે સમાવેશી વિકાસ, સમાજના દરેક વર્ગને લાભકારી નીવડશે અને વિકસિત ભારતનો માર્ગ પ્રશસ્ત કરશે. અંદાજપત્ર પરનો પ્રતિભાવ આપતાં તેમણે ઉમેર્યું હતું કે, સરકારે રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના જાહેર કરી છે, જ...

જુલાઇ 23, 2024 7:41 પી એમ(PM)

views 54

નવી કર પ્રણાલિ માટે કર માળખું સુધારવામાં આવ્યું છે, જેમાં રૂપિયા ત્રણ લાખ સુધીની આવક પર કોઈ વેરો નહીં લાગે

નવી કર પ્રણાલિ માટે કર માળખું સુધારવામાં આવ્યું છે, જેમાં રૂપિયા ત્રણ લાખ સુધીની આવક પર કોઈ વેરો નહીં લાગે. આગામી બે વર્ષમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં આવશે. સોના અને ચાંદી પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને છ ટકા અને પ્લેટિનમ પરની ડ્યુટી 6.4 ટકા કરવામાં આવી છે. પીએમ આવાસ યોજના 2.0 હેઠળ એ...

જુલાઇ 23, 2024 7:39 પી એમ(PM)

views 40

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. એનડીએ સરકારની ત્રીજી મુદતનું પ્રથમ બજેટ રજૂ કરતા નાણા મંત્રીએ જણાવ્યું કે, વિક્સિત ભારતનો સંકલ્પ સાકાર કરવા કુલ નવ પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ખેતીની ઉત્પાદકતા વધારવા, યુવાનોમાં રોજગારી અને કાર્યકુશળતા વધારવ...

જુલાઇ 22, 2024 7:54 પી એમ(PM)

views 40

વરસાદના પગલે રાજ્યમાં હવાઇ સેવા પણ અસરગ્રસ્ત થઇ

વરસાદના પગલે રાજ્યમાં હવાઇ સેવા પણ અસરગ્રસ્ત થઇ છે. સુરતના હવાઈમથક ખાતે ખાનગી કંપનીના વિમાનના પાયલટે ઓછી વિઝિબલિટી વચ્ચે પણ વિમાનનું સફળ ઉતરાણ કરાવ્યું હતું. ઈન્દોરથી સુરત આવી રહેલું આ વિમાનને ભારે વરસાદના કારણે ઉતરાણમાં મુશ્કેલી થઈ રહી હતી. દરમિયાન એક કલાક હવામાં વિમાન ફેરવ્યા બાદ સલામત રીતે વિમાનન...

જુલાઇ 22, 2024 7:52 પી એમ(PM)

views 43

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 147 જેટલા તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર ખાતે આજે રાજ્યનો સૌથી વધુ 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના માણાવદર, વીસાવદર, માળિયા હાટિના, દ્વારકા , ઉપલેટા પં...

જુલાઇ 22, 2024 7:49 પી એમ(PM)

views 35

રાજ્યમાં આવતીકાલે દેવભૂમિદ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કરાયું

રાજ્યમાં આવતીકાલે દેવભૂમિદ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 24 જુલાઈએ અમરેલી, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ,...

જુલાઇ 22, 2024 7:47 પી એમ(PM)

views 42

રાજ્યમાં આજે ચાંદીપુરા વાઇરસને કારણે વધુ ત્રણ બાળકનાં શંકાસ્પદ મોત થયા

રાજ્યમાં આજે ચાંદીપુરા વાઇરસને કારણે વધુ ત્રણ બાળકનાં શંકાસ્પદ મોત થયા છે. આ સાથે જ મૃત્યુઆંક ૩૦ થી વધુ થયો છે. હાલમાં રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ કુલ 84 કેસ છે. બનાસકાંઠાના સુઈગામ, રાજકોટમાં ગોંડલ તાલુકાના રાણસીકી તથા સુરતમાં 1-1 બાળકનાં મોત નીપજ્યાં છે. સુરતમાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં 11 વર્ષી...