જાન્યુઆરી 6, 2026 9:32 એ એમ (AM)

printer

નવીદિલ્હી ખાતેના રાષ્ટ્રીય મહોત્સવમાં ગુજરાતના કુલ 76 પ્રતિભાશાળી યુવાનો ભાગ લેશે

નવી દિલ્હી ખાતેના રાષ્ટ્રીય મહોત્સવ માટે ગુજરાતના કુલ 76 પ્રતિભાશાળી યુવાનોની પસંદગી કરવામાં આવી છે.કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા દર વર્ષે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 2026માં, 2047ના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાના હેતુથી ‘29મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું “વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ તરીકે આયોજન કરવામાં આવ્યું છે.