ડિસેમ્બર 14, 2024 6:59 પી એમ(PM)

views 44

સુરત: વાહન વ્યવહાર રાજયમંત્રી હર્ષ સંઘવીએ 10 વોલ્વો બસને પ્રસ્થાન કરાવ્યું

રાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેકટ કરવા માટે 10 નવિન હાઈટેક વોલ્વો બસોને સુરત ખાતે ફલેગ ઓફ આપી વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યુ હતું. આ બસો સુરતથી ગાંધીનગર સુધી તથા ગાંધીનગરથી સુરત બે બસો, સુરતથી નહેરૂનગર, નહેરૂનગરથી સુરત ચાર બસો તથા અન્ય ચાર બસો રાજકોટના રૂટ પર નિર્ધારિત કરેલા સમયમાં દોડશે. આ નવીન બસોમાં 47 સીટીંગ કેપેસીટી, 2X2 લેધર અને આરામદાયક પુશબેક સીટ, મોબાઈલ ચાર્જીંગ ફેસીલીટી, આ નવિન વોલ્વો બસ 13.50 મીટર લાંબી છે. એન્જીન કંમ્પાર્ટમેન્ટમાં ફાયર ડીટેકટશન અને સપ્રેસન સિ...