નવેમ્બર 9, 2024 2:53 પી એમ(PM)

views 28

દમણ: રામ સેતુ અને નમો પથ પર ત્રણ દિવસ સુધી વાહનવ્યવહાર પર પ્રતિબંધ

દમણમાં રામ સેતુ અને નમો પથ પર ત્રણ દિવસ સુધી વાહનવ્યવહાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે આજથી સોમવાર સુધી સમારકામ, જાળવણી અને સફાઈને કારણે, નમો પથ, નાની દમણ અને રામ સેતુ પર અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.