જાન્યુઆરી 26, 2025 1:55 પી એમ(PM)

views 29

શ્રીલંકાએ ભારતીય કંપનીને અપાયેલી પવન ઊર્જા પરિયોજનાને રદ કરવાના સમાચારોનું ખંડન કર્યું

શ્રીલંકાએ એક ભારતીય કંપનીને અપાયેલી પવન ઊર્જા પરિયોજનાને રદ કરવાના સમાચારોનું ખંડન કર્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં સમાચારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મન્નાર અને પૂનરીમાં અદાણી સમૂહને અપાયેલી 484 મેગાવૉટ પવનઊર્જા પરિયોજનાને રદ કરવામાં આવી છે. એક વિશેષ સંવાદદાતા સંમેલનમાં શ્રીલંકાની મંત્રીમંડળના પ્રવક્તા ડૉ. નલિન્દા જયથિસાએ સ્પષ્ટતા કરી કે, સરકારે માત્ર વિજળી ખરીદી સમજૂતી કરાર સંબંધિત મંત્રીમંડળના નિર્ણયને રદ કર્યો છે. તેમણે કહ્યું, હવે આ પરિયોજનાની સમીક્ષા કરવા અને તેની સાથે જોડાયેલી ચિંતાઓ દૂર...

ઓક્ટોબર 6, 2024 8:13 પી એમ(PM)

views 53

ઇસ્ટર સન્ડે હુમલાની ઝડપી તપાસ કરાશે: શ્રીલંકાના રાષ્ટ્રપતિ

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ કહ્યું છે, કે ઇસ્ટર સન્ડે હુમલાની ઝડપી તપાસ કરવામાં આવશે. 2019ના નેગોમ્બોમાં ઈસ્ટર હુમલાના પીડિતોના પરિવારો સાથે વાતચીત કરતી વખતે રાષ્ટ્રપતિએ કહ્યું કે, દેશમાં આવી ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી કરવામાં આવશે. રાષ્ટ્રપતિએ ખાતરી આપી હતી કે અસરગ્રસ્તોને ન્યાય આપવામાં આવશે. તેમણે કહ્યું કે તપાસ કોઈપણ પૂર્વગ્રહ વગર થવી જોઈએ. શ્રી દિસાનાયકેએ સવારે ચર્ચની મુલાકાત લીધી અને પીડિતોના માનમાં સ્થાપિત સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, 21 એપ્રિલ 201...