માર્ચ 18, 2025 2:21 પી એમ(PM)

views 41

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું, મહારાષ્ટ્ર સરકાર નાગપુર હિંસામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરશે

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું, મહારાષ્ટ્ર સરકાર નાગપુર હિંસામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરશે. સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા શ્રી જોષીએ કહ્યું કે, રાજ્ય સરકાર પરિસ્થિતિને કાર્યક્ષમ રીતે સંભાળી રહી છે. આ હિંસા અંગે થાણેથી શિવસેના શિંદેના સાંસદ નરેશ મ્હસ્કેએ આ ઘટના પાછળ વિપક્ષ દ્વારા રચાયેલું કાવતરું હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે તપાસમાં બહાર આવ્યું છે કે, બહારના લોકોએ આ હિંસા ફેલાવી હતી. દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ નવી દિલ્હીમાં મીડિયાને જણાવ્યું ક...

ડિસેમ્બર 28, 2024 6:37 પી એમ(PM)

views 29

એન્ડ્રોઇડ અને એપલ ઉપકરણો ઉપર અલગ અલગ ભાડુ લેવાના આક્ષેપોની સંપૂર્ણ તપાસ કરવા CCPAને નિર્દેશ

કેન્દ્ર સરકારે કેબ ઓપરેટરો દ્વારા એન્ડ્રોઇડ અને એપલ ઉપકરણો ઉપર એક જ રૂટ ઉપર અલગ અલગ ભાડુ લેવાના થયેલા આક્ષેપોની સંપૂર્ણ તપાસ કરવા કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ - CCPAને નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ વધુમાં જણાવ્યું છે કે, CCPA ને કેબ ઉપરાંત ખાદ્ય પદાર્થોની ડિલીવરી તેમજ ઓનલાઇન ટિકીટ બુક કરતી એપ જેવા વિવિધ ક્ષેત્રોમાં ગ્રાહકો પાસેથી લેવાતા નાણાંના માળખાની પણ તપાસ કરવાનો નિર્દેશ અપાયો છે. CCPA ને આ બધી જ બાબતોની સંપૂર્ણ તપાસ કરીને શક્ય એટલા વહેલા પોતાનો અહેવાલ...