જૂન 24, 2025 9:06 એ એમ (AM)

views 53

રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની રવિવારે યોજાયેલી ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યની 8 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં 3 હજાર 656 સરપંચની જગ્યાઓ અને 16 હજાર 224 સભ્ય બેઠકો માટે મતદાન યોજાયું હતું. જો કે સાબરકાંઠાની ઝીઝવા અને દાહોદની મોટીહાંડી ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતપત્રોમાં ક્ષતિ જણાતા આ બંને બેઠક માટે તથા પાદરા તાલુકાની નરસિંહપુરા ગ્રામ પંચાયતની એક બેઠક પર મતદાર અનુસરણ પ્રક્રિયામાં ભૂલ હોવાથી આજે ફેર મતદાન યોજાશે. પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ...

જાન્યુઆરી 23, 2025 1:54 પી એમ(PM)

views 61

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ આજે જાહેર સભાઓને સંબોધશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બપોર પછી ત્રણ મતવિસ્તારોમાં જાહેર સભાઓ યોજશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ બે સભાઓને સંબોધશે. કોંગ્ર્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મુસ્તફાબાદ મતવિસ્તારમાં મોટી જાહેર સભાને સંબોધશે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ આજે સાંજે મોતી નગર વિસ્તારમાં પ્રચાર ...

નવેમ્બર 9, 2024 7:06 પી એમ(PM)

views 57

બનાસકાંઠા: વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં માટે પ્રચાર વેગવંતો બન્યો

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ત્રિ-પાંખીયા ચૂંટણી જંગમાં પ્રચાર વેગવંતો બન્યો છે. ઉમેદવારો દ્વારા ગામડે-ગામડે સભાઓ કરાઇ રહી છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે ખડોલ, ચાળા, લિંબાળા અને જેલાણા સહિત 13 સભાઓ કરી, તો બીજી તરફ મંત્રી ભીખુસિંહ પરમાર અને અલ્પેશ ઠાકોરે પણ સ્વરૂપજી ઠાકોરના પ્રચારના સનેખડા, અને કુવાળા સહિતના વિવિધ ગામોમાં ચૂંટણી સભાઓ ગજવી. અપક્ષ ઉમેદવાર માવજી પટેલે યુવા મતદારોને આકર્ષવા આજે ટીમા ગામેથી વિશાળ બાઇક રેલી યોજીને વાવના અનેક ગામોમાં સભાઓ કરી તો કોંગ્રેસ ઉમે...

નવેમ્બર 9, 2024 6:58 પી એમ(PM)

views 85

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર, NDA અને I.N.D.I.A. જૂથના નેતાઓએ ચૂંટણી પ્રચાર કર્યો

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બની રહ્યો છે. NDA અને I.N.D.I.A. જૂથના વિવિધ નેતાઓ સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે છત્તરપુરના પાલામુ ખાતે ચૂંટણી રેલીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઓબીસી, દલિત અને આદિજાતિ સમુદાયના વિરોધી હોવાનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ભાજપની કરવેરા નીતિની ટીકા કરી છે. આજે ધનબાદ જિલ્લાના બાઘમારા ખાતે ચૂંટણી રેલીને સંબોધતા તેમણે આક્ષેપ કર્યો હતો ભાજપની વેરા નીતિ સમૃધ્ધ વર્ગના મૂડીવાદ...