ફેબ્રુવારી 23, 2025 2:46 પી એમ(PM)

views 21

સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનના સચિવ જીન-પિયરે લેક્રોઇક્સે, શાંતિ અભિયાનમાં ભારતના મહિલા શાંતિ રક્ષકના યોગદાનને બિરદાવ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનના સચિવ જીન-પિયરે લેક્રોઇક્સે, શાંતિ અભિયાનમાં ભારતના મહિલા શાંતિ રક્ષકના યોગદાનને બિરદાવ્યું છે. એક સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં, શ્રી લેક્રોઇક્સે નોંધ્યું કે, મોટી સંખ્યામાં મહિલાઓના જોડાવવાથી અભિયાનમાં અસરકારકતામાં વધારો થયો છે.શ્રી લેક્રોઇક્સ આવતીકાલે વૈશ્વિક દક્ષિણના પરિપ્રેક્ષમાં શાંતિ સ્થાપવામાં મહિલાઓની ભૂમિકા વિષય પર એક પરિષદમાં ભાગ લેવા નવી દિલ્હીની આવશે. કાર્યક્રમમાં શાંતિ જાળવણીમાં વિકસતા પડકાર તથા શાંતિ અને સલામતીને પ્રોત્સાહન આપવામાં મહિલાઓની મહત્વની...

ફેબ્રુવારી 13, 2025 8:07 પી એમ(PM)

views 32

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે કહ્યું કે બાંગ્લાદેશમાં માનવાધિકાર ઉલ્લંઘન ફક્ત અવામી લીગના શાસનકાળ દરમિયાન જ થયું ન હતું

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે કહ્યું કે બાંગ્લાદેશમાં માનવાધિકાર ઉલ્લંઘન ફક્ત અવામી લીગના શાસનકાળ દરમિયાન જ થયું ન હતું, પરંતુ તે વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન પણ થઈ રહ્યું છે. આ તારણ એકતથ્ય-શોધ અહેવાલમાં બહાર આવ્યું છે, જેને બુધવારે યુએન એજન્સી દ્વારા જાહેર કરાયું હતું. અહેવાલમાં જણાવાયું છે કે પ્રોફેસર મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે સત્તા સંભાળી ત્યારથી ધાર્મિક અને સ્વદેશી સમુદાયો સામે માનવાધિકાર ઉલ્લંઘન થઈ રહ્યું છે. શેખ હસીનાના નેતૃત્વ હેઠળની અવામી લીગ સરકારે ગયા...

ઓક્ટોબર 26, 2024 8:37 એ એમ (AM)

views 44

ભારત અને ઇટલી સાયબર સ્પેસને સુરક્ષિત કરવા સહયોગ વધારવા સંમત થયા છે.

ભારત અને ઇટલી સાયબર સ્પેસને સુરક્ષિત કરવા સહયોગ વધારવા સંમત થયા છે. ગઈકાલે નવી દિલ્હીમાં પ્રથમ સાયબર વાર્તાલાપ યોજાયો હતો. જેમા બંને દેશોએ વધતા સાયબર જોખમો અને રાષ્ટ્રીય સાયબર વ્યૂહરચનાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. બંને પક્ષોએ ક્ષમતા નિર્માણ પહેલ માટે માહિતી પ્રણાલીઓની સુરક્ષા અંગે પણ ચર્ચા કરી હતી. ભારત અને ઇટલીએ ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્રમાં તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને સાયબર ક્ષેત્રે સાથે મળીને કામ કરવા પર ચર્ચા કરી.

સપ્ટેમ્બર 10, 2024 2:38 પી એમ(PM)

views 47

ભારતે, સંયુક્ત રાષ્ટ્રની સ્થાયી સભ્યોમાં આફ્રિકા ખંડની ભાગીદારી વધારવાની હિમાયત કરી

ભારતે, સંયુક્ત રાષ્ટ્રની સ્થાયી સભ્યોમાં આફ્રિકા ખંડની ભાગીદારી વધારવાની હિમાયત કરી છે સુરક્ષા પરિષદમાં રાજકીય વિસંગતતાના કારણે શાંતિ મંત્રણાના પ્રયાસોને માઠી અસર થઈ રહી છે. યુ.એન સુરક્ષા પરિષદમાં નવ નિયુક્ત ભારતીય અધિકારી પી. હરિશે તેમના પહેલા સંબોધન જણાવ્યું કે, સુરક્ષા પરિષદમાં રાજકીય એકતાના અભાવે યુ.એનની શાંતિ મંત્રણાના પ્રયાસો પર નકારાત્મક અસર પડી રહી છે. કાયમી શ્રેણીમાં સુરક્ષા પરિષદના કાયમી સભ્યોએ આજની વાસ્તવિકતાઓનું સક્રિય રીતે પ્રતિનિધિત્વ કરવાની જરૂર છે વિશ્વમાં શાંતિ મંત્રણા માટેના વિ...