જૂન 14, 2025 7:28 પી એમ(PM)

views 26

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી રહી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી રહી છે.આ ઘટનાને લઈ ટંકરાના પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણી સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો પ્રથમ જોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં દિવંગતોની આત્માની શાંતિ માટે મહામૃત્યુંજય મંત્ર જાપ સહિત શાંતિપાઠ અને પૂજા અર્ચના કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ ઇડરની પ્રયાગ કોલેજ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકો ઉપરાંત ત્યા વસવાટ કરતાં ઘણા પશુ પક્ષીઓનો પણ ...

જૂન 14, 2025 1:58 પી એમ(PM)

views 21

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની એક ટીમે ઘટના સ્થળ પરથી વિમાનનું બ્લેક બોક્સ – જેને સામાન્ય રીતે ફ્લાઇટ ડેટા રેકોર્ડર તરીકે ઓળખવામાં આવે છે તે શોધી કાઢ્યું છે. ફોરેન્સિક નિષ્ણાતોએ પણ વિગતવાર તપાસ શરૂ કરી છે.

દુર્ઘટનાનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની એક ટીમે ઘટના સ્થળ પરથી વિમાનનું બ્લેક બોક્સ - જેને સામાન્ય રીતે ફ્લાઇટ ડેટા રેકોર્ડર તરીકે ઓળખવામાં આવે છે તે શોધી કાઢ્યું છે. ફોરેન્સિક નિષ્ણાતોએ પણ વિગતવાર તપાસ શરૂ કરી છે. અધિકારીઓ જણાવે છે કે, વ્યાપક ફોરેન્સિક અને ટેકનિકલ વિશ્લેષણ પછી અકસ્માતનું કારણ સ્પષ્ટ થશે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે સ્થાનિક આરોગ્ય, પોલીસ અને સુરક્ષા ટીમો એલર્ટ પર છે. પીડિતોના પરિવારો અને અસરગ્રસ્ત રહેવાસી...

ડિસેમ્બર 30, 2024 2:36 પી એમ(PM)

views 30

દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટના પક્ષીની ટક્કરથી સર્જાઈ હોય તેવું સામે આવ્યું

દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટના પક્ષીની ટક્કરથી સર્જાઈ હોય તેવું સામે આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એર ટ્રાફિક કંટ્રોલરોએ દુર્ઘટનાની થોડી મિનિટો પહેલા વિમાનને પક્ષી ટકરાવવા વિશે ચેતવણી આપી હતી. બચી ગયેલા ક્રૂ સભ્યોમાંથી એકે પક્ષીઓના હુમલાનો ઉલ્લેખ કર્યો હતો.. જો કે, દુર્ઘટનાના વાસ્તવિક કારણોની હજુ તપાસ કરવામાં આવી રહી છે. દક્ષિણ કોરિયાના વિમાન દુર્ઘટનામાં જેજુ એર ફ્લાઇટમાં સવાર 181 લોકોમાંથી 179 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં તમામ 175 મુસાફરો અને ચાલક દળના ચાર સભ્યોનો સમાવેશ થાય છે. બે...