માર્ચ 31, 2025 6:56 પી એમ(PM)

views 41

આ વર્ષે સમગ્ર રાજ્યમાં માધવપુર ઘેડ મેળાની ઉજવણી કરાશે

આ વર્ષે સમગ્ર રાજ્યમાં માધવપુર ઘેડ મેળાની ઉજવણી કરાશે. પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરાયાં છે. આવતીકાલે સુરતમાં ઇનડોર સ્ટેડિયમ ખાતે, 2 એપ્રિલે વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે 3 એપ્રિલે અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે, અને 5 એપ્રિલે સોમનાથ મંદિર ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પોરબંદર જિલ્લામાં 6 થી 10 એપ્રિલ સુધી ચાલનારા પાંચ દિવસીય માધવપુર ઘેડ મેળામાં ગુજરાત સહિત ઉત્તરપૂર્વના 8 રાજ્યો ભાગ લેશ...

માર્ચ 21, 2025 7:03 પી એમ(PM)

views 32

આ વર્ષે રાજ્યમાં વધુ 5 હજાર 950 સ્વસહાય જૂથોની રચના કરાશે : ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ

ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું, આ વર્ષે રાજ્યમાં વધુ 5 હજાર 950 સ્વસહાય જૂથોની રચના કરાશે. વિધાનસભામાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની માગણીઓ પરની ચર્ચા દરમિયાન શ્રી હળપતિએ જણાવ્યું કે, મનરેગા હેઠળ આગામી વર્ષે કુલ 516 લાખ માનવદિન રોજગારી પૂરી પાડવામાં આવશે. તેમણે જણાવ્યું કે SAHAS યોજના હેઠળ સ્વસહાય જૂથોની બહેનોની બેંક લોન માટે સરકાર પોતે ગેરન્ટર બનશે. વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની 4 હજાર 700 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ પસાર થઈ હતી.

ફેબ્રુવારી 21, 2025 3:33 પી એમ(PM)

views 26

રાજ્યનું 3 લાખ 77 હજાર 962 કરોડ રૂપિયા જાહેર દેવું

રાજ્યનું 3 લાખ 77 હજાર 962 કરોડ રૂપિયા જાહેર દેવું છે, તેની વિધાનસભામાં સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રાજ્ય સરકારે આ જવાબ રજૂ કર્યો હતો.. છેલ્લા બે વર્ષમાં 48 હજાર 654 કરોડ રૂપિયા વ્યાજની ચુકવણી કરવામાં આવી હતી.. છેલ્લા બે વર્ષમાં 48 હજાર 308 કરોડ રૂપિયાની મુદ્દલની ચૂકવણી પણ કરવામાં આવી હોવાની નાણામંત્રી દ્વારા જણાવાયું હતું. નાણાકીય સંસ્થા, બજાર લોન અને કેન્દ્રીય દેવું રાજ્ય પર હોવાનું રાજ્ય સરકારે ગૃહમાં જણાવ્યું હતું.

ફેબ્રુવારી 13, 2025 7:46 પી એમ(PM)

views 41

રાજ્યમાં ઉત્તર તરફથી પવનો ફૂંકાઇ રહ્યા છે

રાજ્યમાં ઉત્તર તરફથી પવનો ફૂંકાઇ રહ્યા છે પરંતુ ઉત્તર ભારતમાં હાલમાં કોઈપણ વેસ્ટન ડિસ્ટર્બન્સ ની અસર નથી જેને પગલે તાપમાનનો પારો વધી રહ્યો છે આગામી ત્રણ દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની શક્યતાઓ નહિવત હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે... આગામી ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતાઓ છે ..મહત્તમ તાપમાન પણ આગામી એક સપ્તાહ સુધીમાં ૩૫ ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતાઓ હોવાનું હવામાન વિભાગના વડા એ.કે.દાસે જણાવ્યું હતું.

ફેબ્રુવારી 7, 2025 6:36 પી એમ(PM)

views 36

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે 47 લાખથી વધુ યાત્રાળુઓએ ઉડનખટોલાનો લાભ લીધો

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે 47 લાખથી વધુ યાત્રાળુઓએ ઉડનખટોલાનો લાભ લીધો. જેમાં ગયા વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન, પાવાગઢમાં 24 લાખથી વધુ પ્રવાસીઓએ, ગિરનારમાં સાડા 7 લાખથી વધુ જ્યારે અંબાજીરોપ-વેનો સાડા 15 લાખથી વધુ યાત્રાળુઓએ રોપ-વેની સેવાનો લાભ લીધો છે. દરમિયાન છેલ્લા ચાર વર્ષમાં ૩૦લાખથી વધુ પ્રવાસીઓએ અઢી કિલોમીટરલાંબા ગિરનાર રોપ-વેનો લાભ લીધો છે.

નવેમ્બર 5, 2024 9:52 એ એમ (AM)

views 50

નાગાલેન્ડ રાજ્યના પોચુરી નાગા જનજાતિની વસતી ગણાતા મેલુરીને સત્તાવાર રીતે રાજ્યનો 17મો જિલ્લા જાહેર કરવામાં આવ્યો

નાગાલેન્ડ રાજ્યના પોચુરી નાગા જનજાતિની વસતી ગણાતા મેલુરીને સત્તાવાર રીતે રાજ્યનો 17મો જિલ્લા જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે મેલુરીને તાત્કાલિક અસરથી પૂર્ણ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે. આલમે 2 નવેમ્બરના રોજ આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. સરકારને આશા છે કે આનાથી આ વિસ્તારમાં વિકાસ અને વહીવટી વ્યવસ્થામાં સુધારો થશે.