જાન્યુઆરી 3, 2025 9:46 એ એમ (AM)

views 54

આવતીકાલે રાજકોટમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 980.37 કરોડના એસટીના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ

રાજકોટ ખાતે આવતીકાલે ગૃહ અને વાહન વ્યવહાર વિભાગ મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રૂ.૯૮૦.૩૭ લાખ રૂપિયાના ખર્ચે એસ.ટી નિગમના વિવિધ કામોના ઈ-લોકાર્પણ કરાશે. આ કામોમાં અંદાજીત ૬૩૭.૩૭ લાખના ખર્ચે આકાર પામેલ એસ.ટી. વિભાગીય કચેરી,ગોંડલ એસ.ટી. ડેપો વર્કશોપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવીન ૮ હાઈટેક વોલ્વો બસોનું લોકાર્પણ કરાશે. આરામદાયક લેધર પુશબેક સીટ, સી.સી.ટી.વી. કેમેરા, મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી, ફાયરસેફ્ટી માટે અદ્યતન સ્પ્રીંકલ સિસ્ટમ, સ્મોક ડીટેકટર અલાર્મ, એલ.ઈ.ડી. ટી.વી., એક્ઝ...

ઓક્ટોબર 17, 2024 8:12 એ એમ (AM)

views 38

વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ‘આખી ST બસનું એડવાન્સ બુકિંગ થશે તો મુસાફરોને ઘરઆંગણે સેવા પૂરી પાડવા ST વિભાગ કટિબદ્ધ’

વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘વાર- તહેવાર અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન વધારાની એસ.ટી. બસો જરૂરીયાત પ્રમાણે દોડાવવામાં આવશે. તેમજ કોઈપણ પ્રસંગ માટે S.T.ની આખી બસનું જો પહેલાથી એટલે કે, એડવાન્સ બુકિંગ કરાશે તો મુસાફરોના ઘરઆંગણા સુધી S.T. વિભાગ સેવા પૂરી પાડવા કટીબદ્ધ છે. ’ ભાવનગરમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ લિમિટેડ દ્વારા 762.62 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી વિભાગીય કચેરીનું લોકાર્પણ કરતા શ્રી સંઘવીએ આમ જણાવ્યું હતું. શ્રી સંઘવીએ ઉમેર્યું કે, ‘લોકોની પરિવહન સુવિધામાં વધારો...

ઓગસ્ટ 23, 2024 8:37 એ એમ (AM)

views 69

દારૂની હેરફેર કરતા વાહનો બીજી વાર ઉપયોગમાં ન લેવાય તે હેતુથી નશાબંધી અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો છે.

નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દારૂબંધીના કાયદામાં પોલીસ પ્રક્રિયા સરળ કરવા, ગુનેગારોને અંકુશમાં રાખવા ઉપરાંત દારૂની હેરફેર કરતા વાહનો બીજી વાર ઉપયોગમાં ન લેવાય તે હેતુથી નશાબંધી અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ પ્રકારના ગુનાઓમાં ઉપયોગમાં લેવાતા વાહનોની હરાજી કરીને તે નાણાંનો સરકારી યોજનાઓ માટે ઉપયોગ કરનારુ ગુજરાત સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય બનશે. દરમિયાન, વિધાનસભા ગૃહમાં ગઈકાલે પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ સુધારા અધ...