ફેબ્રુવારી 7, 2025 6:32 પી એમ(PM)

views 33

ભગવાન મહાવીર સ્વામીના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવા પાંચ સિદ્ધાંતો સમસ્ત માનવતા અને વિશ્વ કલ્યાણનો આધાર છે :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે ભગવાન મહાવીર સ્વામીના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવા પાંચ સિદ્ધાંતો સમસ્ત માનવતા અને વિશ્વ કલ્યાણનો આધાર છે. અમદાવાદમાં 'ભગવાન મહાવીર દર્શનથી પ્રકૃતિ અને સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન' વિષયક રાષ્ટ્રીય સંગોષ્ઠી અને અભિનવ જૈન દીક્ષા મહોત્સવમાં શ્રીદેવવ્રતે આ મુજબ જણાવ્યું. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અહિંસા વિશ્વ ભારતી કેન્દ્ર આવનારા દિવસોમાં સમાજ માટે એક મોડેલ સેન્ટર બનશે.

નવેમ્બર 3, 2024 7:28 પી એમ(PM)

views 50

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનને વર્ચ્યુઅલી સંબોધી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનને વર્ચ્યુઅલી સંબોધી હતી. આ સંમેલનમાં 17 દેશોના 2000થી વધુ પ્રતુનિધિઓએ ભાગ લીધો હતો. કૃષિ સંમેલનનો વિષય હતો. પ્રાકૃતિક ખેતીમાં નવા સંશોધનો આ સંમેલને સંબોધતાં રાજયપાલે જણાવ્યું કે, ધરતીને પુનઃ ફળદ્રુપ બનાવવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે હિન્દુસ્તાન એગ્રીકલ્ચર રિસર્ચ વેલ્ફેર સોસાયટી દ્વારા ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાન, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી તથા અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા આયોજિત દ્વિતીય આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનનું આયોજન કરવા...