ડિસેમ્બર 28, 2024 8:15 એ એમ (AM)

views 48

આજે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહના અંતિમ સંસ્કાર કરાશે

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહની અંતિમ યાત્રા આજે સવારે સાડા નવ વાગ્યે નવી દિલ્હીના કૉંગ્રેસ મુખ્યમથક ખાતેથી નીકળી સ્મશાન ઘાટ પહોંચશે. ડૉ. મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે આજે અંતિમ સંસ્કાર કરાશે. આજે સવારે તેમના પાર્થિવ શરીરને તેમના આવાસથી કૉંગ્રેસ કાર્યાલય ખાતે લઈ જવાશે અને ત્યાં સામાન્ય નાગરિકો અને પક્ષના કાર્યકર્તાઓ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. કૉંગ્રેસ કાર્ય સમિતિ- સીડબલ્યુસી એ ગઈકાલે ડૉ. મનમોહન સિંહના અવસાન પર એક શોક પ્રસ્તાવ પસાર કર્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહના અંતિ...

ડિસેમ્બર 27, 2024 7:23 પી એમ(PM)

views 38

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના અવસાન નિમિત્તે રાજ્ય સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના અવસાન નિમિત્તે રાજ્ય સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, સચિવાલય, ગુજરાત વિધાનસભા અને સરકારી ઈમારતોમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવીને ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. તેમજ રાજ્ય સરકારના તમામ જાહેર કાર્યક્રમ પણ રદ કરાયા છે. આ તરફ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ વીડિયો સંદેશ જાહેર કરી ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અમદાવાદના અમારા પ્રતિનિધિ ...

ડિસેમ્બર 27, 2024 2:29 પી એમ(PM)

views 30

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવંગત ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવંગત ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્દ્રીયમંત્રીઓ અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત અન્ય નેતાઓએ પણ તેમના નિવાસસ્થાને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂતપૂર્વ ડૉ. સિંઘના પાર્થિવ દેહને આવતીકાલે અંતિમ દર્શન માટે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં લાવવામા...

ડિસેમ્બર 27, 2024 2:28 પી એમ(PM)

views 31

પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહને શ્રધ્ધાંજલી અર્પતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને વિદ્વાન અર્થશાસ્ત્રી અને સુધારાને સમર્પિત નેતા તરીકે વર્ણવ્યા

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને આજે સવારથી મોતીલાલ નેહરુ માર્ગ, લ્યુટિયન્સ દિલ્હીના બંગલા નંબર-3 ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. પુષ્પગુચ્છ અર્પણ કરતી વખતે તેમણે શોકની આ ઘડીમાં સ્વર્ગસ્થ નેતાના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીથી એક વીડિયો સંદેશમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે ડો. સિંહનું નિધન રાષ્ટ્ર માટે એ...

ડિસેમ્બર 27, 2024 2:25 પી એમ(PM)

views 35

પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના નિધન પર દેશના અને વિશ્વના અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને વૈશ્વિક નેતાઓએ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી છે. અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. સિંહને અફઘાનિસ્તાનના લોકોના અડગ સાથી અને મિત્ર ગણાવ્યા હતા. માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે સોશિયલ મીડિયા X પર પોતાનું દુ:ખ વ્યક્ત કરતાં તેમને "માર્ગદર્શક, પિતાની હાજરી" તરીકે વર્ણવ્યા હતા. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે ભારત-રશિયન સંબંધોને મજબૂત કરવામાં ડૉ. સિંઘની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડતા ડૉ. સિંઘના પ્રેમભર્યા...