જાન્યુઆરી 26, 2025 8:25 એ એમ (AM)

views 34

કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે, દીકરીઓએ આંગણવાડીથી લઈને અંતરિક્ષ સુધી પ્રગતિ કરી છે.

કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે, દીકરીઓએ આંગણવાડીથી લઈને અંતરિક્ષ સુધી પ્રગતિ કરી છે, દીકરી એટલે ભવ્યતા, દિવ્યતા અને આધ્યાત્મિકતા. અમદાવાદ ખાતે હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં આયોજિત કન્યાવંદન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા આ મુજબ જણાવ્યું હતું. હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં મહાનુભાવો દ્વારા શાળાની કન્યાઓની પૂજા કરી કન્યા વંદન પણ કરવામાં આવ્યું.

ઓક્ટોબર 6, 2024 9:19 એ એમ (AM)

views 47

એસટી દ્વારા સિદ્ધપુરથી દ્વારકાની નવી સ્લીપર કોચ બસ શરૂ કરાઇ

સિધ્ધપુર પંથકની જનતા માટે સિધ્ધપુરથી સીધા યાત્રાધામ દ્વારકાધીશના દર્શનાર્થે જઇ શકે તેવી સિધ્ધપુર - દ્વારકા સ્લીપરકોચ બસનો પ્રારંભ થયો છે. સિધ્ધપુરથી દ્વારકા જતી નવીન સ્લીપર કોચ બસને રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ બસ દરરોજ નિયમિત સિધ્ધપુરથી દ્વારકા જશે અને દ્વારકાથી સિધ્ધપુર પરત આવશે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિધ્ધપુર મત વિસ્તારની ધર્મપ્રેમી જનતાને આ બસનો લાભ લેવા અનુરોધ કર્યો છે. આ બસ સાંજે 18:00 કલાકે સિદ્ધપુરથી ઉપડી વાયા પાટણ, બેચરાજી, સ...