ફેબ્રુવારી 11, 2025 7:38 પી એમ(PM)

views 24

કેન્દ્રીય અંદાજપત્ર રાષ્ટ્રીય વિકાસ જરૂરિયાતોને નાણાકીય પ્રાથમિકતાઓ સાથે સંતુલિત કરતું હોવાનું જણાવતા કેન્દ્રીય નાણાંમંત્રી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકાર મૂડી ખર્ચ અને મૂડી સંપત્તિ બનાવવા માટે 99 ટકા ઋણનો ઉપયોગ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે અસરકારક મૂડી ખર્ચ 4.3 ટકા છે અને રાજકોષીય ખાધ GDP ના 4.4 ટકા છે, જે દર્શાવે છે કે સરકાર અસરકારક મૂડી ખર્ચને ભંડોળ પૂરું પાડવા અને મૂડી સંપત્તિ બનાવવા માટે તમામ ઉધાર લીધેલા સંસાધનોનો ઉપયોગ કરી રહી છે. મંત્રીએ લોકસભામાં કેન્દ્રીય અંદાજ પત્ર પર ચર્ચાનો જવાબ આપતાં આમ જણાવ્યું. તેમણે ઉમેર્યું કે કેન્દ્રીય અંદાજ પત્ર 2025-26 રાષ્ટ્રીય વિકાસ જરૂરિયાતોને નાણ...

જાન્યુઆરી 31, 2025 7:48 પી એમ(PM)

views 21

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણ આવતીકાલે સવારે અગિયાર વાગે લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણ આવતીકાલે સવારે અગિયાર વાગે લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે. 2024માં ભાજપનાં અગેવાની હેઠળની બીજી સરકારમાં આ બીજું અંદાજપત્ર છે. દરમિયાન સુશ્રી સિતારમણે આજે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણમાં રજૂ કર્યું હતું જે મુજબ નાણાકીય વર્ષ 2025માં ભારતના વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન-GDPમાં 6.4 ટકાના દરે વૃદ્ધિ થવાનું અનુમાન છે અને નાણાકીય વર્ષ 2026માં આ વૃદ્ધિ 6.3 થી 6.8 ટકા વચ્ચે રહેવાની શક્યતા છે. આર્થિક સર્વેક્ષણમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ઘરે...