ડિસેમ્બર 20, 2024 8:37 એ એમ (AM)

views 52

અમદાવાદ સિવિલ મેડિસિટીમા રૂ. 840 કરોડના વિવિધ કામોનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો : ઋષિકેશ પટેલ

અમદાવાદ સિવિલ મેડિસિટીમા અંદાજીત 840 કરોડ રૂપિયાના વિવિધ કામોના નિર્માણકાર્ય અને આયોજન સહિતના માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે તેમજ મેડિસિટીમાં પ્રવેશતા દર્દીઓને વોર્ડ શોધવામાં અનુકૂળતા રહે તે માટે હોર્ડિંગ્સની વ્યવસ્થા કરાશે તેમ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. અમદાવાદમાં અસારવા સ્થિત મેડિસિટીમાં પ્રવેશતા દર્દીઓ માટે હોર્ડિંગ્સના આધારે માહિતી મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું હતું. ગઇકાલે સાંજે આરોગ્ય મંત્રીએ મેડિસિટીના નિર્માણાધીન પ્રોજેક...

ડિસેમ્બર 12, 2024 7:34 પી એમ(PM)

views 48

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં પીએમજેએવાય – મા યોજનાની સમીક્ષા બેઠક મળી હતી

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં પીએમજેએવાય – મા યોજનાની સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં આ યોજનાની નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, પીએમજેએવાય મા યોજનામાં પૈસાની લાલચમાં દર્દીઓ સાથે ગેરરીતી આચરતા લોકો માટે નવી માર્ગદર્શિકામાં પુરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ યોજના હેઠળ મળતી સારવારને વધુ સુગ્મ્ય અને સમગ્ર વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ...

સપ્ટેમ્બર 13, 2024 3:14 પી એમ(PM)

views 44

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ત્રણ વર્ષમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ત્રણ વર્ષમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. આ સરકારે વેગથી પ્રવેગને વિકાસમાં પરિવર્તિત કરવાનું કામ કર્યું છે. રાજ્યમાં 11 નવી નીતિ થકી વિકાસ થયો છે. પ્રવક્તા મંત્રીએ વધુમાં આ મુજબ જણાવ્યું...ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે.

જુલાઇ 19, 2024 4:21 પી એમ(PM)

views 49

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાઇરસના સૌથી વધુ શંકાસ્પદ કેસ ધરાવતા સાબરકાંઠા જિલ્લાની આજે મુલાકાત લીધી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાઇરસના સૌથી વધુ શંકાસ્પદ કેસ ધરાવતા સાબરકાંઠા જિલ્લાની આજે મુલાકાત લીધી. તેમણે હિંમતનગર GMERS મેડિકલ કૉલેજ ખાતે વાયરલ એન્કેફેલાઇટીસની સારવાર લઈ રહેલા બાળકોની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા. આ પ્રસંગે રાજ્ય સરકાર વાઇરલ એન્કેફેલાઇટીસ રોગને અટકાવવા કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું. જે બાદ તેમણે સાબરકાંઠા જિલ્લામાં વાઇરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની સારવાર,વ્યવસ્થા તેમજ ઉપચારાત્મક બાબતો અંગે સમીક્ષા બેઠક કરી હતી અને રોગને અટકાવવાની દિશામાં સ્થાનિક વહીવટીતંત્ર...