ફેબ્રુવારી 15, 2025 11:00 એ એમ (AM)

views 53

ફ્રાંસ અને અમેરિકાના પ્રવાસથી પ્રધાન મંત્રી મોદી પરત ફર્યા

ફ્રાન્સ અને અમેરિકાની મહત્વપૂર્ણ અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ભારત પરત ફર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકાની મુલાકાતે ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પ્રધાનમંત્રીની અમેરિકાની આ પ્રથમ મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી હતી. ગુરુવારે મોડીરાત્રે વ્હાઇટ હાઉસમાં ચાર કલાક સુધી દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી.

ફેબ્રુવારી 11, 2025 11:30 એ એમ (AM)

views 68

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે. આ સંવાદનો ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. તેઓ અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે. આ દરમિયાન, ભારત અને ફ્રાન્સ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી મોદી આજે  કૃત્રિમ બુદ્ધિમતા  એક્શન સમિટની સહ-અધ્યક્ષતા  કરશે . આ પરિષદનો ઉદ્દેશ્ય કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં વૈશ્વિક ધોરણો સ્થાપિત કરવાની સાથે જવાબદાર કૃત્ર...

ફેબ્રુવારી 6, 2025 8:17 પી એમ(PM)

views 31

અમેરિકાથી પરત આવેલા રાજ્યના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ વિમાની મથકેથી પોલીસની સુરક્ષા સાથે ઘરે પહોંચાડવામાં આવ્યા છે

અમેરિકાથી પરત આવેલા રાજ્યના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ વિમાની મથકેથી પોલીસની સુરક્ષા સાથે ઘરે પહોંચાડવામાં આવ્યા છે. ૩૩ નાગરિકોના રહેણાકની વિગતોના આધારે, સંબંધિત જિલ્લાની પોલીસ દ્વારા એક નોડલ અધિકારીની નિમણુક કરી, તમામ નાગરિકોને સરકારી વાહન દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમેરિકાથી પરત મોકલવામાં આવેલા નાગરિકો અંગેની ઘટનાને ગંભીરતાથી લઈને દેશનિકાલ કરાયેલા રાજ્યના નાગરિકોની સુરક્ષા અને જરૂરી સંકલન માટે સિનિયર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવ...

ફેબ્રુવારી 6, 2025 7:34 પી એમ(PM)

views 35

અમેરિકાથી પરત આવેલા રાજ્યના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ વિમાની મથકેથી પોલીસની સુરક્ષા સાથે ઘરે પહોંચાડવામાં આવ્યા છે

અમેરિકાથી પરત આવેલા રાજ્યના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ વિમાની મથકેથી પોલીસની સુરક્ષા સાથે ઘરે પહોંચાડવામાં આવ્યા છે. ૩૩ નાગરિકોના રહેણાકની વિગતોના આધારે, સંબંધિત જિલ્લાની પોલીસ દ્વારા એક નોડલ અધિકારીની નિમણુક કરી, તમામ નાગરિકોને સરકારી વાહન દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા નાગરિકોની સુનિશ્ચિત સુરક્ષા અને યોગ્ય સંકલન માટે ડીવાયએસપી કક્ષાના અધિકારી અમૃતસર એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમેરિકાથી પરત મોકલવામાં આવેલા નાગરિકો અંગેની ઘટનાને ગંભીરતા...

ફેબ્રુવારી 6, 2025 3:06 પી એમ(PM)

views 35

અમેરિકાથી પરત મોકલવામાં આવેલાં 33 ગુજરાતીઓ આજે સવારે અમૃતસરથી અમદાવાદ વિમાન મથક ખાતે આવી પહોંચ્યા

અમેરિકાથી પરત મોકલવામાં આવેલાં 33 ગુજરાતીઓ આજે સવારે અમૃતસરથી અમદાવાદ વિમાન મથક ખાતે આવી પહોંચ્યા હતા. અમારા પ્રતિનિધી જણાવે છે કે, અમદાવાદ પોલીસ દ્વારા તમામ નાગરિકોને તેમનાં ઘરે સુરક્ષિત પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અગાઉ, સ્થાનિક ગુનાશાખામાં તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતા. જે યાદી અગાઉથી અમૃતસરથી આવી હતી, તે પ્રમાણે તમામ નાગરિકોને બહાર લઈ જવામાં આવ્યા હતા. આ મુસાફરોમાં મોટા ભાગના યુવાનો છે. જેમાં એક પરિવારનો પણ સમાવેશ થાય છે. આ અંગે અમદાવાદના મદદનીશ પોલિસ કમિશનર આર ડી ઓઝાએ આ માહિતી...

ફેબ્રુવારી 6, 2025 2:03 પી એમ(PM)

views 41

અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીય નાગરિકોને પરત મોકલવાના મુદ્દે વિદેશ મંત્રી એસ જયશંકર આજે બપોરે બે વાગે રાજ્યસભામાં નિવેદન આપશે

અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીય નાગરિકોને પરત મોકલવાના મુદ્દે વિદેશ મંત્રી એસ જયશંકર આજે બપોરે બે વાગે રાજ્યસભામાં નિવેદન આપશે. 12 વાગે ગૃહ પુનઃ મળ્યું ત્યારે સભાપતિ જગદીપ ધનખડે જણાવ્યં હતું કે, વિદેશ મંત્રી આ મુદ્દે નિવેદન આપશે. સંસદના બંને ગૃહની કાર્યવાહી આ મુદ્દે બપોરે 12 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. લોકસભામાં કાર્યવાહી શરૂ થતાં જ કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કૉંગ્રેસ સહિતનાં વિરોધ પક્ષોએ સૂત્રોચ્ચાર કરી આ મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. કોંગ્રેસે આ મુદ્દા પર પહેલાથી જ સ્થગિત પ્રસ્...

ફેબ્રુવારી 6, 2025 8:13 એ એમ (AM)

views 49

અમેરિકાથી પરત મોકલાયેલા 33 ગુજરાતીઓ આજે અમદાવાદ પહોંચશે

અમેરિકામાં ગેરકાયદે રહેતા 104 જેટલા ભારતીયોને ગઈકાલે અમેરિકન વિમાનમાં પંજાબના અમૃતસર ખાતે લવાયા હતા. અમારા અમદાવાદના પ્રતિનિધિ જણાવે છે કે, અમેરિકાથી પરત મોકલાયેલા આ ભારતીયોમાં રાજ્યના 33 લોકો સામેલ છે. આમાં પણ સૌથી વધુ લોકો ઉત્તર ગુજરાતના અને એક વ્યક્તિ અમદાવાદના થલતેજ વિસ્તારના રહેવાસી હોવાનું જણાયું છે. આ તમામ લોકોને આજે સવારે અમદાવાદ લવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ અમેરિકામાં ગેરકાયદે વસતા વિવિધ દેશનાં લોકોને પરત મોકલવા કાર્યવાહી હાથ ધ...

જાન્યુઆરી 30, 2025 2:03 પી એમ(PM)

views 36

અમેરિકામાં, 64 લોકો સાથેનું એક પેસેન્જર વિમાન વોશિંગ્ટન ડીસીની બહાર US આર્મી બ્લેક હોક હેલિકોપ્ટર સાથે હવામાં અથડાયું હતું

અમેરિકામાં, 64 લોકો સાથેનું એક પેસેન્જર વિમાન વોશિંગ્ટન ડીસીની બહાર US આર્મી બ્લેક હોક હેલિકોપ્ટર સાથે હવામાં અથડાયું હતું, રીગન નેશનલ એરપોર્ટ નજીક રનવેની નજીક આ દુર્ઘટના ઘટી હોવાનું ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું.. મેટ્રોપોલિટન પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં કોઈ જાનહાનિની પુષ્ટિ થઈ નથી. પોટોમેક નદીમાં જ્યાં પેસેન્જર વિમાન અને હેલિકોપ્ટર અથડાયા હતા ત્યાં મોટા પાયે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટના અંગેની વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

જાન્યુઆરી 25, 2025 2:57 પી એમ(PM)

views 35

અમેરીકાની સર્વોચ્ચ અદાલતે મુંબઈ આતંકી હુમલાના દોષિત તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી

અમેરીકાની સર્વોચ્ચ અદાલતે મુંબઈ આતંકવાદી હુમલાના દોષિત તહવ્વુર રાણાની સમીક્ષા અરજી ફગાવી તેના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. ભારત, પાકિસ્તાની મૂળના કેનેડિયન ઉદ્યોપગતિ રાણાના પ્રત્યાર્પણની માગ કરી રહ્યું હતું. તેની પર વર્ષ 2008માં મુંબઈ 26-11 આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે. આ હુમલામાં 160 લોકોના મોત નીપજ્યા હતા. તહવ્વુર રાણાનો સંબંધ કથિત રીતે આતંકી હુમલામાં મુખ્ય ષડયંત્રકારોમાંથી એક પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડૅવિડ કૉલમેન હૅડલી સાથે છે. નીચલી અદાલતોમાં કાયદાકીય લડત હારી ગયા બા...

જાન્યુઆરી 9, 2025 7:28 પી એમ(PM)

views 27

ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ કહ્યું, “આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને અમેરિકા એક છે.

ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ કહ્યું, “આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને અમેરિકા એક છે.” મુંબઈમાં આજે એક સંમેલનને સંબોધતા તેમણે વૈશ્વિક શાંતિ માટે રાજદ્વારી અને પરસ્પર સહકારના મહત્વ પર ભાર મૂક્યો હતો. શ્રી ગાર્સેટીએ કહ્યું, “ભારત-મધ્ય પૂર્વ-યુરૉપ આર્થિક કોરિડોર આમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.”