જુલાઇ 1, 2024 4:09 પી એમ(PM)

views 75

લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આજે નવીદિલ્હીમાં સેનાના વડા તરીકેનો પદભાર સંભાળ્યો

લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આજે નવીદિલ્હીમાં સેનાના વડા તરીકેનો પદભાર સંભાળ્યો છે. જનરલ દ્વિવેદીએ દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી, અને ફરજ પર પોતાનું બલિદાન આપનારા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. માધ્યમો સાથે વાત કરતા જનરલ દ્વિવેદીએ કહ્યું કે ભારતીય સેનાનું નેતૃત્વ કરવાની તક મળી તે તેમના માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે. જનરલ દ્વિવેદીએ નાગરિકોને ખાતરી આપી હતી કે ભારતીય સેના તમામ પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે.