સપ્ટેમ્બર 10, 2024 7:57 એ એમ (AM)

views 45

અમદાવાદમાં ગણેશ વિસર્જન અને ઇદે મિલાદનો તહેવાર એક સાથે આવી રહ્યો છે.

અમદાવાદમાં ગણેશ વિસર્જન અને ઇદે મિલાદનો તહેવાર એક સાથે આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. અમદાવાદના ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું હતું કે, આ તહેવારો અમદાવાદ શહેરમાં શાંતિથી ઉજવાય તે માટેના તમામ સલામતીના પગલા લેવાયા છે.

જુલાઇ 1, 2024 3:37 પી એમ(PM)

views 71

અમદાવાદ શહેરમાં રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ

અમદાવાદ શહેરમાં આગામી સાત જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને ધ્યાનમાં રાખી શહેર પોલીસ સુરક્ષાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે શહેરના સંવેદનશીલ વિસ્તારોના તમામ અધિકારીઓને સાથે રાખી રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજી હતી