પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 22, 2026 7:47 પી એમ(PM)

views 19

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અમદાવાદમાં GTUનો 15-મો પદવીદાન સમારોહ યોજાયો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને ટેક્નિકલ પ્રગતિ સાથે નૈતિકતા, ઈમાનદારી અને કરુણા જેવાં જીવનમૂલ્યો અપનાવવા પર ભાર મૂક્યો હતો. અમદાવાદમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTUના પંદરમા પદવીદાન સમારોહને સંબોધતા કુલાધિપતિ અને રાજ્યપાલશ્રીએ આ વાત કહી. તેમણે યુવાનોને પોતાની શક્તિઓનો દેશના ઉત્થાન માટે ...

જાન્યુઆરી 22, 2026 7:45 પી એમ(PM)

views 43

રાજ્યમાં આગામી 24 કલાક બાદ ઠંડી વધવાની આગાહી

રાજ્યમાં આગામી ચોવીસ કલાક બાદ ઠંડી વધવાની આગાહી છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, આજે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં કમોસમી વરસાદનું માવઠું પડવાની શક્યતા છે. દરમિયાન આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

જાન્યુઆરી 22, 2026 7:44 પી એમ(PM)

views 38

સોમનાથમાં યોજાયેલી રાષ્ટ્રીય હૅન્ડબૉલ સ્પર્ધામાં ગુજરાતની ટીમ સેમિ-ફાઈનલમાં પહોંચી.

સોમનાથમાં યોજાયેલી ઓગણસિત્તેર-મી શાળા રમતગમત રાષ્ટ્રીય હૅન્ડબૉલ સ્પર્ધામાં રાજ્યની 17 વર્ષથી ઓછી વયની ટીમ ભવ્ય પ્રદર્શન કર્યું. ગુજરાતની ટીમે ક્વાર્ટર ફાઈનલમાં રાજસ્થાનની ટીમને 21—10થી હરાવી સેમિ-ફાઈનલમાં પહોંચી છે. હવે ગુજરાતની ટીમ ઉત્તરપ્રદેશ સામે રમશે. અગાઉ ગુજરાતની ટીમે ઉત્તરાખંડની ટીમ સામે 36-2...

જાન્યુઆરી 22, 2026 5:17 પી એમ(PM)

views 41

77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવ રચિત વાવ–થરાદ જિલ્લામાં થશે.

77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવ રચિત વાવ–થરાદ જિલ્લામાં થશે. આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા કલેકટર જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા પરેડ અને કાર્યક્રમો...

જાન્યુઆરી 22, 2026 5:12 પી એમ(PM)

views 16

સુરેન્દ્રનગરના થાનગઢમાં તંત્ર દ્વારા 260 જેટલા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ

સુરેન્દ્રનગરના થાનગઢમાં તંત્ર દ્વારા 260 જેટલા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. હાલ 210 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી દબાણ હટાવવામાં આવી રહ્યું હોવાનું નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ જણાવ્યું.

જાન્યુઆરી 22, 2026 4:49 પી એમ(PM)

views 14

અરવલ્લીમાં વાતાવરણમાં પલટાની આગાહીને લઈ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિશેષ જાણકારી આપવામાં આવી

અરવલ્લીમાં વાતાવરણમાં પલટાની આગાહીને લઈ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિશેષ જાણકારી આપવામાં આવી છે. તે મુજબ, કમોસમી વરસાદથી થતા પાક નુકસાનથી બચવા ખેડૂતોને તકેદારી રાખવા જણાવાયું છે. આ અંગે ખેતીવાડી અધિકારી પી. બી. પરમારે વધુ માહિતી આપી.

જાન્યુઆરી 22, 2026 4:42 પી એમ(PM)

views 18

મહેસાણાના કડી નજીક આવેલા થોળ પક્ષી અભયારણ્યમાં આગામી 31 જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીએ પક્ષીઓની વાર્ષિક ગણતરી કરાશે

મહેસાણાના કડી નજીક આવેલા થોળ પક્ષી અભયારણ્યમાં આગામી 31 જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીએ પક્ષીઓની વાર્ષિક ગણતરી કરાશે. જળાશયમાં આવતા દેશી અને વિદેશી પક્ષીઓની ગણતરીને ધ્યાને રાખી આ બંને દિવસ અભયારણ્ય મુલાકાતીઓ માટે બંધ રહેશે. પક્ષી ગણતરીની કામગીરીમાં કોઈ અવરોધ ન સર્જાય તે માટે વિશેષ કાળજી રાખવા પણ તંત્...

જાન્યુઆરી 22, 2026 4:35 પી એમ(PM)

views 24

જુનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આવતીકાલે ભરતી મેળો યોજાશે

જુનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આવતીકાલે ભરતી મેળો યોજાશે.બહુમાળી ભવનના પહેલા માળે “બી” વિન્ગમાં આવેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીમાં આ મેળો યોજાશે. તેમાં અમદાવાદ, જુનાગઢની ખાનગી કંપનીઓ દ્વારા વિવિધ જગ્યા માટે ઉમેદવારો ઇન્ટરવ્યૂ આપી શકશે.

જાન્યુઆરી 22, 2026 4:26 પી એમ(PM)

views 19

પાટણમાં આવતીકાલે 23 જાન્યુઆરીથી 10 દિવસ સુધી એક જ સમયે પાણી પૂરવઠો અપાશે

પાટણમાં આવતીકાલે 23 જાન્યુઆરીથી 10 દિવસ સુધી એક જ સમયે પાણી પૂરવઠો અપાશે. GUDC – ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા ચાલી રહેલા ભૂગર્ભ અને પીવાના પાણીની પાઈપલાઈન નૅટવર્કના કારણે નગરપાલિકાએ આ નિર્ણય કર્યો છે. આ કામગીરી દરમિયાન ખોરસમથી પાટણ આવતો નર્મદાનો પાણીનો પ્રવાહ રોકવામાં આવશે. તેના કારણે સિદ્ધિ સરોવર...

જાન્યુઆરી 22, 2026 9:26 એ એમ (AM)

views 29

આજે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અન્વયે મુખ્યમંત્રી નાગરિકોની ફરિયાદોનુ નિવારણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય ‘સ્વાગત’માં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો સાંભળશે. સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો આજે સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.