પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 7, 2026 2:13 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજ્ય પ્રવાસને લઈ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની આજથી 12 તારીખ સુધીની તમામ રજા રદ કરવામાં આવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજ્ય પ્રવાસને લઈ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની આજથી 12 તારીખ સુધીની તમામ રજા રદ કરવામાં આવી છે. રાજ્યના ઇન્ચાર્જ DGP ડૉ. કે. એલ. એન. રાવ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, જે કર્મચારીઓ હાલ રજા પર છે તેમને તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના અપાઈ છે. પ્રધાનમંત્રીના વિવિધ જિ...

જાન્યુઆરી 7, 2026 2:11 પી એમ(PM)

views 23

કચ્છમાં આવેલી વિશ્વ ધરોહર ધોળાવીરામાં આગામી 10 તારીખે પતંગ મહોત્સવ યોજાશે.

કચ્છમાં આવેલી વિશ્વ ધરોહર ધોળાવીરામાં આગામી 10 તારીખે પતંગ મહોત્સવ યોજાશે. તેમાં 18 દેશના 45 તથા સાત રાજ્યના 23 પતંગબાજ ભાગ લેવા આવશે. જિલ્લા કલેક્ટરે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી આ મહોત્સવની તૈયારીઓની સમીક્ષા કરી. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાના...

જાન્યુઆરી 7, 2026 2:07 પી એમ(PM)

views 23

રાજ્યના પોલીસ ભરતી બોર્ડે 950 ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી.

રાજ્યના પોલીસ ભરતી બોર્ડે 950 ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ઉમેદવારો 9 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકશે. સત્તાવાર જાહેરાત મુજબ પોલીસ ભરતી બોર્ડે વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ હેઠળ વર્ગ-૩ ટેકનિકલ જગ્યાઓ માટે પર ભરતી કરાશે, જેમાં વાયરલેસ વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર-P...

જાન્યુઆરી 7, 2026 2:06 પી એમ(PM)

views 26

રાજ્યના 31 જિલ્લામાં યોજાયેલા સશસ્ત નારી મેળા દ્વારા ચાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ થયું.

રાજ્યના 31 જિલ્લામાં યોજાયેલા સશસ્ત નારી મેળા દ્વારા ચાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ થયું છે. મેળામાં પાંચ લાખથી વધુ લોકોએ બે હજાર 300થી વધુ હાટડીની મુલાકાત લીધી હતી. આ મેળાએ રાજ્યભરની મહિલાઓને તેમની હસ્તકળા, હાથસાળ, પરંપરાગત ખાદ્યપદાર્થ, પ્રાકૃતિક ઉત્પાદનો અને સ્વદેશી ઉત્પ...

જાન્યુઆરી 7, 2026 2:09 પી એમ(PM)

views 34

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં આવતીકાલથી 11 તારીખ સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે.

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં આવતીકાલથી 11 તારીખ સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે. અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આગામી 11 તારીખે સોમનાથ મહાદેવ મંદિરના દર્શનાર્થે આવશે અને આ ઉજવણીમાં જોડાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પર્વ માટેની તૈ...

જાન્યુઆરી 7, 2026 9:48 એ એમ (AM)

views 18

સુરત ક્રાઇમ બ્રાંચે 69 લાખ કરતાં વધુની ઓનલાઇન છેતરપિંડી આચરનારા બેને ઝડપ્યાં

સુરત શહેર સાઈબર ક્રાઇમ સેલે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગના બે સાગરિતોની ધરપકડ કરવામાં આવી હતી.આ બંને આરોપીઓ 69 લાખ 76 હજાર રૂપિયાની ઓનલાઇન છેતરપિંડીમાં સંડોવાયેલા હતાં. બે આરોપીઓમાંથી એક મહિલા આરોપીને પણ ઝડપી લેવામાં આવી હતી. સાઈબર ક્રાઇમની ટીમે આ બંને આરોપીઓને અદાલત સમક્ષ ...

જાન્યુઆરી 7, 2026 10:14 એ એમ (AM)

views 36

રાજકોટમાં જ્વેલર્સની દુકાનો પર તોલમાપ વિભાગની અચાનક તપાસમાં 12 વેપારીઓને ત્યાં ગેરરીતી

રાજકોટમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા ગ્રાહકોના હિતની રક્ષા કરવા અને વેપારમાં પારદર્શિતા જાળવવાના હેતુથી સોના-ચાંદીની દુકાનો અને જ્વેલરી શો-રૂમ પર વિશેષ આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.તપાસમાં અનેક એકમોમાં કાયદા મુજબ ફરજિયાત ચકાસણી અને મુદ્રાંકન વગર વજનકાંટાનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્...

જાન્યુઆરી 7, 2026 9:39 એ એમ (AM)

views 30

માદક પદાર્થના દૂષણને ડામવા ગુજરાત પોલીસ જંગ લડી રહી હોવાનું જણાવતાં નાયબ મુખ્યમંત્રી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાત પોલીસ માદક પદાર્થના દુષણ સામે અભિયાન નહીં, જંગ લડી રહી છે.આણંદના ત્રિભુવનદાસ પટેલ નગર ખાતે યોજાયેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ- ABVP ગુજરાતના 57મા પ્રદેશ અધિવેશનમાં સંબોધન કરતાં શ્રી સંઘવીએ 2022થી અત્યાર સુધી 75 પાકિસ્તાનીને જેલમાં બંધ કરવામાં સફળતા પ્રા...

જાન્યુઆરી 7, 2026 9:37 એ એમ (AM)

views 40

ગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળાને ડામવા માટે આરોગ્ય તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેકટર-24,26 અને 28, આદિવાડા વિસ્તારમાં શંકાસ્પદ ટાઇફોઇડના કેસ મળતા સેકટર-24 તથા સેકટર-29ના અર્બન હેલ્થ સેન્ટરની ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે.સર્વેલન્સની ટીમમાં ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તથા આશાબહેનોની કુલ 85 ટીમ દ્વારા સર્વેની કા...

જાન્યુઆરી 7, 2026 9:34 એ એમ (AM)

views 30

વિકસિત ભારત-G RAM-G લોકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિકસીત ભારત-G RAM-G લોકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે.પ્રદેશ ભાજપા કાર્યાલય કમલમ કોબા ગાધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ) VB-G RAM-G અધિનિયમ, 202...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.