ઓગસ્ટ 1, 2026 11:07 એ એમ (AM)

printer

સસંદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને મુખ્યમંત્રીએ આવકાર્યું

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંસદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026 અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ બીલનું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર પણ ‘મેરિટ ફર્સ્ટ’ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.