ઓગસ્ટ 7, 2026 9:46 એ એમ (AM)

printer

એનાલોગ ડેરી પદાર્થો પર પ્રતિબંધ બાદ ફૂડ સેફટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સઘન તપાસ અભિયાન

એનાલોગ ડેરી પદાર્થો પર પ્રતિબંધ બાદ ફૂડ સેફટી વિભાગ દ્વારા રાજ્યભરમાં અખાધ પદાર્થોની તપાસ ઝડપી બનાવાઇ છે. વિભાગ દ્વારા જામનગર, રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં વિવિધ સ્થળે દરોડા પાડી તપાસ હાથ ધરાઇ છે. જે દરમિયાન રાજકોટમાં એક ફેક્ટરીમાંથી એનાલોગ પનીરનો મોટો જથ્થો જપ્ત કરાયો. વિભાગ દ્વારા ફેક્ટરી સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.