પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 15, 2025 3:02 પી એમ(PM)

views 14

ઉંઝા ખેતીવાડી ઉત્પન્ન બજારમાં અજમાની સારી આવક…

ઉંઝા ખેતીવાડી ઉત્પન્ન બજારમાં અજમાની આ મહિનામાં સારી આવક થઇ છે. જેનો ભાવ 1300થી 1800 રૂપિયા તેમજ સારી ગુણવતાવાળા અજમાનો ભાવ 1800થી 2300 રૂપિયા સુધી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અજમાની આવક વર્ષમાં બે વખત થાય છે. જેમાં કાઠિયાવાડી અજમાનું વાવેતર ઓગસ્ટ માસમાં થાય છે અને આવક ડિસેંબરમાં થાય છે, તેવી જ ...

ડિસેમ્બર 15, 2025 3:02 પી એમ(PM)

views 19

ભૂજ વર્તુળ કચેરી દ્વારા ઉર્જા સપ્તાહ દરમ્યાન વીજળીના વપરાશમાં સલામતી અને જાગૃતિ લાવવાના ઉદ્દેશથી રેલી યોજાઇ.

ભૂજ વર્તુળ કચેરી દ્વારા ઉર્જા સપ્તાહ દરમ્યાન વીજળીના વપરાશમાં સલામતી અને જાગૃતિ લાવવાના ઉદ્દેશથી રેલી યોજાઇ હતી. આ રેલી ભૂજ શહેરના અનેક વિસ્તારોમાં યોજાઇ હતી જેમાં ભૂજ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર તપન વોરા સહિત મોટી સંખ્યામાં કંપનીના કર્મચારીઓ જોડાયા હતા. આ રેલીનો ઉદ્દેશ વીજળીની સલામતી અને સામુદાયિક...

ડિસેમ્બર 15, 2025 3:06 પી એમ(PM)

views 19

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીપીઆઇ અંતર્ગત જુદાજુદા વિભાગોની કામગીરીની પ્રગતિ માટે સીએમ ડેશબોર્ડ અંગે ગાંધીનગરમાં આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગવર્નન્સ પર્ફોમન્સ ઇન્ડેકસ જીપીઆઇ અંતર્ગત જુદાજુદા વિભાગોની કામગીરીની પ્રગતિ માટે સીએમ ડેશબોર્ડ અંગે ગાંધીનગરમાં આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરીને મુખ્યમંત્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે...

ડિસેમ્બર 14, 2025 7:15 પી એમ(PM)

views 16

સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું, રમતગમત માત્ર સ્પર્ધા નહીં પરંતુ વ્યક્તિત્વ ઘડતરનું સાધન છે.

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું, રમતગમત માત્ર સ્પર્ધા નહીં પરંતુ વ્યક્તિત્વ ઘડતરનું સાધન છે. પોરબંદરમાં સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ કરાવતા તેમણે જણાવ્યું, મેદાનમાં ઉતરનાર ખેલાડી ક્યારેય હારતો નથી તે જીતે છે અથવા શીખે છે. તેમણે ઉમેર્યું, અત્યારે રમતગમતમાં કારકિર્દી બનાવવી સરળ બની છે...

ડિસેમ્બર 14, 2025 7:12 પી એમ(PM)

views 15

રાજકોટ જિલ્લાના અણીયારા ગામમાંથી એક કરોડ રૂપિયાના માદક પદાર્થનું વાવેતર ઝડપાયું

રાજકોટ જિલ્લાના અણીયારા ગામમાંથી એક કરોડ રૂપિયાના માદક પદાર્થનું વાવેતર ઝડપાયું છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસ દરોડો પાડી આ કાર્યવાહી કરી હતી જેમાં ઝોન એકના DCP પટેલે જણાવ્યું, આરોપીઓએ તુવેર અને ઘઉંના પાક વચ્ચે કરેલું માદક પદાર્થનું વાવેતર કર્યું હતું.

ડિસેમ્બર 14, 2025 7:11 પી એમ(PM)

views 26

મુખ્યમંત્રી રાહત ભંડોળ દ્વારા છેલ્લા ચાર વર્ષમાં કેન્સરના બે હજારથી વધુ દર્દીઓને નવજીવન મળ્યું

મુખ્યમંત્રી રાહત ભંડોળ-CMRF દ્વારા છેલ્લા ચાર વર્ષમાં કેન્સરના બે હજારથી વધુ દર્દીઓને નવજીવન મળ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે 4 વર્ષમાં કેન્સરના બે હજાર 106 દર્દીઓને 31 કરોડ 55 લાખ રૂપિયાથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર બ્લડ કેન્સરના 450 દર્દીઓ...

ડિસેમ્બર 14, 2025 7:10 પી એમ(PM)

views 33

આગામી ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા

આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જોકે ત્યારબાદ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા લઘુતમ તાપમાનની વાત કરવામાં આવે તો, 11 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુ સ્થળ બન્યું...

ડિસેમ્બર 14, 2025 4:03 પી એમ(PM)

views 14

ડાંગ જિલ્લાના રોલ ઓબ્ઝર્વર મહેશ પટેલની અધ્યક્ષતામાં SIRની 100 ટકા કામગીરી પૂર્ણ કરવા માટે કલેક્ટર કચેરી આહવા ખાતે બેઠક યોજાઈ.

મતદાર યાદી વિશેષ સઘન સુધારણા-SIR છેલ્લા દિવસ સુધીમાં જિલ્લાની 100 ટકા કામગીરી પૂર્ણ કરવા માટે માન્ય રાજકીય પક્ષો સાથે ડાંગ જિલ્લાના રોલ ઓબ્ઝર્વર મહેશ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી આહવા ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેપિંગની કામગીરીના રીપોર્ટના દરેક પાસાંની સમજ આપવામાં આવી હતી. તેમજ જે મતદારોના ફો...

ડિસેમ્બર 14, 2025 4:00 પી એમ(PM)

views 19

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં રાજ્યકક્ષાના મંત્રી પી. સી. બરંડાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાયો.

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં રાજ્યકક્ષાના મંત્રી પી. સી. બરંડાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાયો. પાલ્લા ગામે સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં ખેલ મહોત્સવ અંતર્ગત કબડ્ડી સ્પર્ધાની શરૂઆત કરાઇ. આ પ્રસંગે વિવિધ રમતોત્સવમાં વિજેતા થયેલા ખેલાડીઓનું સન્માન કરાયું. આ પ્રસંગે શ્રી બરંડાએ ખેલ ...

ડિસેમ્બર 14, 2025 4:00 પી એમ(PM)

views 18

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી “સાયકલોથોન”નું આયોજન ઘૂઘરી પાર્ક ખાતે કરવામાં આવ્યું.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી "સાયકલોથોન"નું આયોજન ઘૂઘરી પાર્ક ખાતે કરવામાં આવ્યું. સાયકલોથોનને મ્યુનિસિપલ કમિશનર ડૉ. નવનાથ ગવ્હાણેએ લીલીઝંડી આપી. 12 કિ.મી. અને 24 કિ.મી.ના બે વિભાગમાં યોજાયેલી આ સ્પર્ધા દરમિયાન સ્વદેશીના સંદેશા આપતા બેનરો અને સૂત્રો સાથે સાઇકલ ચાલકોમાં ભારે ઉત્સાહ જોવા મ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.